________________
૭૧
*
શ્રી મોક્ષની બારી મંડપ છે. મંદિરમાં સો થાંભલા, સુંદર તોરણ તથા છતમાં સુંદર કોતરકામ છે. વાઘણપોળના મંદિરોમાં સૌથી ઊંચું, સુંદર કોતરણીવાળું શિખર આ મંદિરનું છે. શ્રી સંભવનાથ ભગવાનનું મંદિર-અમદાવાદવાળા શેઠેસંવત ૧૬૭૫માં બંધાવેલ છે. શ્રી કપડવંજવાળાનું મંદિર -કપડવંજના શેઠાણી માણેકબાઈએ બંધાવેલું શ્રી ઋષભદેવ ભગવાનનું મંદિર છે. તેમાં ઘણાં પ્રતિમાજી બિરાજમાન છે. જૂના જમાનાનું સુંદર કાચનું પરદેશી મોટું ઝુમર આ મંદિરમાં આવેલ છે, જે જોવાલાયક છે. શ્રી દિગંબર મંદિર - સત્તરમા સૈકામાં બનેલ શ્રી દિગંબર મંદિર છે. શ્રી ધનેશ્વરસૂરિ - હાથીપોળની પાસે દેરીમાં શ્રી ધનેશ્વરસૂરિની બે શિષ્યો સાથેની આરસની વિશાળ મૂર્તિ છે. જેઓએ શ્રી શત્રુંજય-મહાભ્ય ગ્રંથ વલ્લભીપુરમાં સંવત ૪૭૭માં ૯ હજાર શ્લોકપ્રમાણમાં સંસ્કૃત ભાષામાં રચેલ, જેના આધારે અનેક ગ્રંથો લખાયા છે. વીર વિક્રમશીનો પાળિયો - પાલીતાણા ગામમાં ભાવસાર જ્ઞાતિમાં વિક્રમશી નામનો માણસ હતો. તે તેના ભાઈ-ભાભી સાથે રહેતો હતો. એક વાર તે ઘેર આવ્યો ત્યારે ઘરમાં રસોઈ તૈયાર નહોતી, જેથી ભાભી પર ગુસ્સે થયો. ભાભીએ મેણું માર્યું : "તમો કમાતા નથી ને ભાઈની કમાણી પર તાગડધિન્ના કરો છો. બાહુબળ હોય તો સિદ્ધગિરિ પર યાત્રાળુઓને હેરાન કરનાર સિંહને મારો તો તમે બહાદુર કહેવાય.” વિક્રમશી ધોકો લઈ ગિરિરાજ પર ગયા. મિત્રોને કીધું કે જો હું ઘંટ વગાડીશ તો સમજજો કે મેં સિંહને માર્યો. ગિરિરાજ પરથી ઘંટનો અવાજ સંભળાતાં મિત્રો ગિરિરાજ પર ગયા. ઝપાઝપીમાં વિક્રમશી તથા સિંહ બંને ઘાયલ થયા ને મૃત્યુ પામ્યા. લીમડાના ઝાડ નીચે આજે પણ વિક્રમશીની સ્મૃતિમાં પાળિયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org