SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતનાં મુખ્ય જૈન તીર્થો શ્રી સંભવનાથ ભગવાનનું મંદિર - આ મંદિર શ્રી બોગલશાવાળાએ બનાવેલ છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર નંદીશ્વરતીપ તથા અષ્ટાપદની ચાના આરસ પહાણની સુંદર છત્રીની નીચે આરસના સિંહાસન પર સુંદર નાજુક પાર્શ્વનાથ ભગવાન છે. દરવાજાની બાજુમાં જંબુદ્વીપથી લઈને નંદીશ્વર દ્વીપ સુધીનો ચિતાર, નંદીશ્વર દ્વીપના પર્વતો, ચૈત્યમાં અતિ બારીક કળાથી બનાવેલ પ્રતિમાજી, દરવાજાની બીજી બાજુએ આરસમાં અષ્ટાપદ પર્વત, ૨૪દહેરા, રાવણ-મંદોદરી, શ્રી ગૌતમસ્વામી, તાપસો, ખાઈવગેરે કોરેલાં છે. આગળ આરસના બે મનોહર હાથીઓ બનાવેલ છે. શ્રી ચંwભરવામીનું મંદિર - સંવત ૧૮૫૯માં પાટણના શેઠ ડુંગરશી મીઠાચંદ લાધાએ બંધાવેલ છે. શ્રી સંભવનાથ ભગવાનનું મંદિર - સૂરતના શ્રી કેશરીચંદ વોરાએ બંધાવેલ છે. શ્રી અજિતનાથ ભગવાનનું મંદિર - પાટણના શેઠ મીઠાચંદે બંધાવેલ છે. શ્રી આદિનાથ ભગવાનનું મંદિર શ્રી ઝવેરભાઈનાનજીભાઈએ સંવત ૧૮૬૦માં બંધાવેલ છે. શ્રી ધર્મનાથ ભગવાનનું મંદિર-અમદાવાદના શેઠનાનચંદ માણેકચંદ માણેકવાળાએ બંધાવેલ છે. શ્રી મહાવીર સ્વામીનું મંદિર - મોરબીવાળા પીતાંબરદાસ પદમશીએ સંવત ૧૯૧૩માં બંધાવ્યું છે. આ સિવાય પૂણેખાંચરે જ્યાં જ્યાં જગ્યા મળી, ત્યાં ત્યાં નાની નાની દેરીઓ બંધાવેલી છે. શ્રી શ્રેયાંસનાથ ભગવાનનું દેરાસર - જામનગરના પદમશી શાહે બંધાવ્યું હતું. તેની પ્રતિષ્ઠા શ્રી કલ્યાણ-સાગરસૂરિ પાસે સંવત ૧૬૭૬ ફાગણ સુદ ૨ ના રોજ કરાવી હતી. મંદિર શિલ્પથી વિભૂષિત છે. શતચંભિપ્યું મંદિર- જોધપુરવાળા શેઠ મનોત્તમલજી જયમલ્લજીએ સંવત ૧૬૮૬માં બંધાવ્યું હતું. વિશાળ ચતુર્મુખ મંદિર છે, મંદિરની ચારે દિશાએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy