________________
૯
શ્રી મોક્ષની બારી જુદાં દશ્યો છે. ઝરૂખાઓ અને સુંદર ઘાટવિધાનથી આ મંદિર વિભૂષિત છે. શિખર કોતરણીમય છે. મંદિરમાં ચોવીસ દેરીઓ છે. ભમતીમાં મંદિરની એક દીવાલે સુંદર ચૌદ સ્વપ્ન વગેરેની કોણી છે. શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનનું મંદિર-સૂર્યકુંડનાછેડાની કિનારી પર આવેલું છે.
વિમલ વસહીમાં વનરાજ મહારાજાનું મંદિર કયાં છે તે જાણવામાં આવતું નથી. સૂરજકુંડ- આ કુંડ સૂર્યકુંડયાને સુરજકુંડના નામે ઓળખાય છે. આ કુંડનો મહિમા અનેક ગ્રંથોમાં લખાયો છે; એના પાણી વડે મહીપાલ રાજાનો રોગ દૂર થયો હતો. અપરમાતા વીરમતીના મંત્રપ્રયોગથી કૂકડો થયેલ ચંદ્રરાજા આ કુંડમાં સ્નાન કરીને પોતાના મૂળ સ્વરૂપે ચંદ્રરાજા તરીકે થયો. સૂર્યકુંડની ઉપર કૂકડો ચંદ્રરાજા થયાનો કોરણી કરેલો ગોખલો છે. મનોહર છત્રીવાળો વિસામો છે તથા કારીગરોએ બનાવેલી શિવલિંગની દેરી છે. સૂર્યકુંડની પાસે ભીમકુંડ, બ્રહ્મકુંડ, ઇશ્વરકુંડ આવે છે તથા સંવત ૧૯૪પમાં
પ્રતિષ્ઠિત કરેલ શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાંની એક દેરી છે. વિમલ-વસહી ઃ જમણી બાજુ આવેલ મંદિરો + વાઘણપોળથી અંદર પેસતાં પ્રથમ શ્રી કેશવજી નાયકના મંદિરનો પાછલો
ભાગ આવે છે. આ મંદિરની વિગત આપણે અગાઉ વાંચી. શ્રી સમવસરણ મંદિર - આ મંદિર સૂરતવાળા શ્રી સોમચંદ કલ્યાણચંદે સંવત ૧૭૮૮માં બંધાવ્યું છે. મૂળનાયક શ્રી મહાવીર સ્વામી છે, સમવસરણના ત્રણ ગઢ છે. પહેલા ગઢમાં ૧૨ પર્ષદાઓ કોતરેલ છે. મધ્ય ભાગમાં સિંહાસનમાં ચતુર્મુખ ભગવાન છે. • નીચે શ્રી શત્રુંજ્ય મહાતીર્થના અધિષ્ઠાયક દેવ શ્રી કવધ્યક્ષની દેરી છે. શ્રી અમીઝરા પાર્શ્વનાથ ભગવાનનું મંદિર - એમાં શ્યામવર્ણના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનની મનમોહક મૂર્તિ છે. આ મંદિર સંવત ૧૭૯૧માં મહામંત્રી ભંડારી ગિરધરદાસ અને ભંડારી રત્નસિંહજીએ બનાવેલ છે. શ્રી ચંપભરવામીનું મંદિર-સંવત ૧૭૮૮માં પ્રેમચંદ રતનજીએ બંધાવેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org