________________
શ્રી વિમલવસહી ટૂક સગાળપોળમાં પેસતાં સામે પેઢીની ઓફિસ આવે છે તથા જમણા હાથે કેશવજી નાયકનીટૂક આવે છે. પૂર્વકાળમાં રેવતાચલાવતારરૂપ શ્રી નેમિનાથ ભગવાનનું મંદિર હતું, જે શ્રી વસ્તુપાળ-તેજપાળે બંધાવ્યું હતું. શ્રી કેશવજી નાયકની ટૂકની પ્રતિષ્ઠા સંવત ૧૯૨૮માં થઈ હતી. મુખ્ય મંદિરમાં સમવસરણ, ડાબે હાથે સમેત શિખરજી તથા જમણા હાથે મેરુ પર્વત અને
બીજી બાજુ અષ્ટાપદની રચના છે. વાઘણપોળ * વાઘણપોળ -સગાળપોળથી થોડાં પગથિયાં ચઢતાં વાઘણપોળનો દરવાજો
આવે છે. દરવાજાની એકબાજુરક્ષકનું બાવલું છે, જ્યારે બીજી બાજુવાઘણનું બાવલું છે. બાજુમાં ભૈરવની મૂર્તિ છે. વાઘણપોળના દરવાજાની બન્ને દિવાલો પર વસ્તુપાલ -તેજપાલનો સંવત ૧૨૮૮ નો શિલાલેખ લગાવ્યો છે, જે ખોદકામ કરતાં મળેલ છે.
|
શ્રી વિમલવસહી ટક
વિમલવસહી ટુકની ડાબી બાજુએ આવેલ મંદિરો * શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર - આ દેરાસરની પ્રતિષ્ઠા સંવત
૧૮૬૦ વૈશાખ સુદ ૫ ને સોમવારે શેઠ હીરાચંદ રાયકરણ દમણવાળાએ કરાવી હતી. પૂર્વે આ જગ્યાએ શ્રી સ્તંભન પાર્શ્વનાથ ભગવાનનું મંદિર હતું, જે શ્રી વસ્તુપાલ – તેજપાલે બંધાવ્યું હતું. પાંચ ચૈત્યવંદન પૈકી બીજું ચૈત્યવંદન શ્રી શાંતિનાથ ભગવાનના દેરાસરે કરવું. શ્રી હેવી માતાની દેરી -શાંતિનાથ ભગવાનના દેરાસરની બાજુમાં પગથિયાં ઊતરતાં વિ.સં. ૧૫૮૭માં શ્રી ક્રમ શાહે બિરાજમાન કરેલ શ્રી શત્રુંજય તીર્થની અધિષ્ઠાકિ– કેશ્વરી મત્તાની દેરી આવે છે. તેના બહારના ભાગમાં પદ્માવતી, નિર્વાણી, સરસ્વતી અને લક્ષ્મી એ ચાર દેવીઓની મૂર્તિ છે. પાસેની દેરીઓમાં વાઘેશ્વરી અને પદ્માવતીની મૂર્તિઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org