________________
શ્રી મોતીશા શેઠની ટૂક (મોતી-વસહી)
III
દાદાની ટૂક અને ચૌમુખજીની ટ્રક વચ્ચે કુંતાસર નામની મોટી ખીણ હતી, જે મોતીશા શેઠે ૮૦ હજાર રૂપિયાના દોરડાથી પુરાવી નલિની ગુલ્મ” વિમાન જેવી સુંદર ટૂક બનાવી. સંવત ૧૮૯૩ના મહા વદ ૪ના દિવસે પ્રતિષ્ઠા થઇ. મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાન છે. અત્રેશ્રી પુંડરીકસ્વામીનું દેરાસર છે. શ્રી પુંડરીકસ્વામીના દેરાસરમાં ગોખલામાં શ્રી મરુદેવામાતાની શ્રી ઋષભદેવ ભગવાન સાથેની મૂર્તિ છે. આવા પ્રતિમાજી અન્યત્ર જોવા મળતા નથી. ચોકમાં મોતીશા શેઠના મુનિએ બંધાવેલું વિશાલ જિનાલય છે. આ ટૂકમાં ૧૬ દેરાસરો, ૧૮૧ દેરીઓ, ૩૦૧૧ પ્રતિમાજી, ૧૪પ પંચધાતુની પ્રતિમાજી છે. રાયણ પગલાં, ગણધરપગલાં વગેરે મળીને ૧૪૫૭ પગલાં છે. દેરાસરના રંગમંડપમાં ડાબી બાજુએ ગોખલામાં શેઠ મોતીશાહ અમીચંદ તથા તેમના ધર્મપત્ની દિવાળીબાઈની મૂર્તિઓ છે તથા જમણી બાજુએ ગોખલામાં શેઠ મોતીશાનાં માતુશ્રી રૂપાબાઈની મૂર્તિ છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org