________________
પ૯
થાવચ્ચા પુત્રની દેરી તેના પુત્ર હતા. ૩૨ કન્યાઓ સાથે લગ્ન કર્યા. શ્રી નેમિનાથ ભગવાનની દેશનાથી વૈરાગ્ય પામી એક હજાર શ્રાવકો સાથે દીક્ષા અંગીકાર કરી. શૈલક નગરના રાજા શૈલકને તથા શુકપરિવ્રાજકને પ્રતિબોધ્યા. પોતાનો અંતકાળ નજીક આવતાં શત્રુંજય ગિરિરાજ પર એક માસનું અનશન કરી કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા.
(૪) શુક પરિવાજકઃ થાવચ્ચપુત્રના ઉપદેશથી સંયમ સ્વીકાર્યો. લાંબો કાળ સંયમ પાળી એક હજાર મુનિભગવંતો સાથે કેવળજ્ઞાન પામી ગિરિરાજ પરમોશે ગયા.
પ) શૌલકાચાર્યઃ થાવસ્ત્રાપુત્રથી ઉપદેશ પામી સંયમ સ્વીકારી પાંચસો મુનિભગવંતો સાથે એક મહિનાનું અનશન કરી કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. * ભૂખણદાસના કુંડ પાસે ચોતરો છે. તેમાંદેરી વગરનાં ખુલ્લાં પગલાં છે. તેની પાસે બીજી દેરીમાં સુકોશલમુનિનાં પગલાં છે.
અયોધ્યાના રાજા કીર્તિધર અને રાણી સહદેવીના પુત્ર સુકોશલ હતા. રાજા કિર્તિધરે પુત્ર સુકોશલના જન્મ પહેલાં દીક્ષા લીધી. સુકોશલે પિતાની દીક્ષા જાણી, જેથી તેઓએ પણ માતાની સંમતિ વિના પિતા પાસે દીક્ષા લીધી, જે માતાને ન ગમ્યું. માતા આર્તધ્યાનમાં મરણ પામી વાઘણ બની. સુકોશલ મુનિ મરણાન્ત ઉપસર્ગ જાણી આરાધનામાં ચઢયા. વાઘણે પુત્ર પર હુમલો કરી તેમને ફાડી ખાધા. મુનિ ધ્યાનમાં અંતગડ કેવળી થઈ મોક્ષે ગયા. વાઘણને મુનિનો સોનાનો દાંત જોતાં, પૂર્વભવ યાદ આવ્યો. પુત્રના મૃત્યુનું દુ:ખ થયું. કીર્તિધર મુનિએ તે વાઘણને ઉપદેશ આપ્યો. વાઘણ અનશન અંગીકાર કરીને દેવગતિમાં ગઈ. ત્યાંથી આગળ ચાલતાં શ્રી ઋષભદેવ ભગવાનના પુસે નામ વિનમિના પગલાં આવે છે. ભારત છ ખંડ જીતવા નીકળ્યા, ત્યારે નમિ-વિનમિ સાથે યુદ્ધ થયું. અંતે નમિ-વિનમિ પરાજય પામ્યા. ભરત મહારાજાની આજ્ઞા સ્વીકારી, વૈરાગ્યથી પોતાના પુત્રોને રાજ્ય આપી સંયમ સ્વીકારી અનશન કરી ગિરિરાજ પર ફાગણ સુદ ૧૦ના દિવસે બે કરોડ મુનિ સાથે મોક્ષે ગયા. હનુમાનધારા-હનુમાનધારાથી બે રસ્તા પડે છે. જમણા હાથે રસ્તો નવટૂક તરફ જાય છે. જ્યારે ડાબા હાથે રસ્તો દાદાની ટૂક તરફ જાય છે. હનુમાનધારાની ડાબી બાજુએ ચોતરા ઉપર શ્રી ઋષભદેવ ભગવાનનાં પગલાં છે તથા પાણીની પરબ છે. જમણી બાજુએ દેરીમાં હનુમાનજીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org