________________
૫૮
કેવળજ્ઞાન પામી ગિરિરાજ પર મોક્ષે ગયા. નારદ મુનિ ૯૧ લાખ મુનિ ભગવંતો સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. આ જ કારણથી કારતક સુદ ૧૫નો તીર્થયાત્રાનો મહિમા છે.
ભારતનાં મુખ્ય જૈન તીર્થો
હીરાબાઇનો કુંડ - આગળ જતાં ડાબા હાથે ચોથો કુંડ – હીરાબાઈનો કુંડ તથા વિસામો આવે છે. હીરાબાઈએ વિમલ વસહીની ટૂકમાં દેરાસર પણ બંધાવેલ છે.
ભૂખણદાસનો કુંડ યા બાવળકુંડ-આગળ જતાં ડાબા હાથે પાંચમો કુંડ બાવળ કુંડ આવે છે, જે સૂરતવાળા શેઠ ભૂખણદાસે બંધાવેલ છે. રસ્તામાં આવતા કુંડોમાં આ છેલ્લો કુંડ છે. શેઠ ભૂખણદાસે તળેટીમાં રાણાવાવ તથા
પાલીતાણા શહેરમાં ાત ઓરડાવાળા નામની ધર્મશાળા બંધાવી હતી.
શ્રી રામ-ભરત થાવગ્ગા પુત્રની દેરી
જમણા હાથે ઊંચા ઓટલા પ૨ દેરીમાં (૧) રામ, (૨) ભરત, (૩) થાવચ્ચાપુત્ર, (૪) શુકપરિવ્રાજક, (૫) શૈલકાચાર્ય એમ પાંચ ઊભી મૂર્તિઓ
છે.
(૧-૨) રામ-ભરત : દશરથ રાજાના પુત્રો હતા. ગુરુમહારાજ પાસે પૂર્વભવ સાંભળી દીક્ષા લઈ ગિરિરાજ પર અનશન કરી ત્રણ કરોડ મુનિ સાથે મોક્ષે
ગયા.
(૩) થાવચ્ચાપુત્ર ઃ દ્વારિકા નગરીમાં થાવચ્ચા નામની સાર્થવાહી હતી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org