________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
- ૫૬ * પાંચમો લીલી પરબ' નામે વિસામો આવે છે તથા પરબ છે.
છઠ્ઠો વિસામો આવે છે. ત્યાં શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાં આવે છે. પાણીની પરબ છે. ગુજરાતના મહારાજા કુમારપાળ મહારાજાએ બંધાવેલો 'કુમારકુંડ” નામનો બીજો કુંડ આવે છે. તીર્થ-ભકિતની અહીં એક વિશેષ ઘટના બનેલ છે. ઘરડાં માળીને ગિરિરાજ પર ચઢતાં મોડું થયું. તે સમયે સંઘ પાછો ફરતો હતો. જેથી માળી નિરાશ થયો, આથી વસ્તુપાલ – તેજપાલે નિરાશ થયેલા માળી પાસેથી ફૂલો લઈને ગિરિરાજને વધાવ્યા હતા, કારણ કે ગિરિરાજના કણે કણ પવિત્ર છે. હિંગલાજ માતાની દેરી
કઠિન ચઢાવવાળો હિંગલાજનો હાડો આવે છે. અંબિકાદેવી હિંગલાજ માતા” નામથી આ સિદ્ધાચલની ટેકરીના અધિષ્ઠાયક દેવી તરીકે ઓળખાય
"હિંગળાજનો દડો, કેડે હાથ દઈ ચઢો,
ફૂટયો પાપનો ઘડો, બાંધ્યો પુન્યનો પડો.” કલિકુંડ પાર્શ્વનાથનાં પગલાં જેની પ્રતિષ્ઠા સંવત ૧૮૩૫માં થઈ હતી. સાતમો વિસામો તથા પાણીની પરબ આવે છે. જૂના રસ્તે જતાં સમવસરણ આકારની દેરીમાં શ્રી મહાવીર સ્વામી ભગવાનનાં પગલાં છે.
છાલાકુંડ' નામે ત્રીજો કુંડ આવે છે, જે સંવત ૧૮૫૮માં બંધાયેલ છે. વિસામો છે તથા પાણીની પરબ અમદાવાદના નગરશેઠ શ્રી હેમાભાઈ વખતચંદે બેસાડી છે. તથા પાસે દેરીમાં ઋષભ, ચન્દ્રાનન, વારિષણ અને વર્ધમાન એમ શાશ્વતા ચાર જિનનાં પગલાં કમલ આકરનાં છે, જેની પ્રતિષ્ઠા
સંવત ૧૮૭૦ માં થયેલી છે. શ્રી પૂજ્યની દેરી ચા શી જિનેન્દ્રક
ત્યાં દેરીમાં પૂજ્યનાં પગલાં છે. એક મોટી દેરીમાં ૧૭ ઇંચની સાત ફણા સહિતની પદ્માવતીની મૂર્તિ છે. તેના મસ્તક ઉપરના ભાગમાં પાંચ ફણાવાળી શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ છે. જમણા હાથે ૧૫-૧૭ ઈંચની હનુમાનજીની મૂર્તિ છે. બાજુમાં શ્રી મણિભદ્રવીરની મૂર્તિ છે.
વચમાં એક મોટો કુંડ છે. કુંડની ચારે બાજુએ ૧૮દેરીઓ છે, જેમાં શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org