SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સરસ્વતી ગુફા ૫૫ "એકેકું ડગલું ભરે, ગિરિ સન્મુખ ઉજમાળ, કેડિ સહસ ભવનાં કર્યા, પાપ ખપે તત્કાળ." જય તળેટીથી ગિરિરાજ પર ચઢતાં ડાબી બાજુએ દેરીમાં શ્રી અજિતનાથ ભગવાનનાં પગલાં છે, જ્યારે જમણી બાજુએ છ દેરીઓમાં શ્રી ગૌતમસ્વામી, બીજા ગણધરો, શ્રી કુંથુનાથ, શ્રી નેમિનાથ, શ્રી ધર્મનાથ આદિનાં પગલાંની દેરીઓ આવેલી છે. જમણા હાથે શ્રી સમવસરણ મહામંદિર તથા તેની નીચેના ભાગમાં ગુફા જેવું હંસવાહિની શ્રી સરસ્વતી દેવીનું નાજુક મંદિર આવેલું છે. ડાબે હાથે શ્રી ધનવસીની ટૂક આવેલ છે. પહેલો વિસામો આવે છે. બીજો વિસામો આવે છે - મોતીશા શેઠે બંધાવેલી પરબ ધોળી પરબ” નામે ઓળખાય છે. જમણા હાથે ગિરિરાજનો પ્રથમ ઉદ્ધાર કરાવનાર ભરત ચક્રવર્તીના પગલાં આવે છે, જેઓ અરીસાભવનમાં કેવળજ્ઞાન પામ્યા હતા અને મોક્ષે ગયા છે. આ પગલાંની પ્રતિષ્ઠા સંવત ૧૬૮૫માં થઈ હતી. પાછા વળતાં યાત્રિકોને ભાતું વાપરવાના પાસ અત્રેથી આપવામાં આવે છે. ત્રીજો વિસામો આવે છે, જ્યાં પ્રથમ કુંડ ઇચ્છાકુંડ આવે છે, જે સંવત ૧૬૮૧માં બંધાયેલો છે. ચોથો નાનો વિસામો આવે છે. કહેવાય છે કે શ્રી નેમિનાથ ભગવાન શત્રુંજય તીર્થ પર અહીં સુધી પધારેલ, પરંતુ કાંકરે કાંકરે અનંતા આત્માઓ સિદ્ધિપદને પામ્યા હોવાથી તેઓને કોઈ જગ્યા ખાલી ન દેખાઈ, જેથી ગિરનાર પર પધારી મોક્ષે ગયા. શ્રી નેમિનાથ ભગવાન, શ્રી આદીશ્વર ભગવાન અને શ્રી નેમિનાથ ભગવાનના પ્રથમ ગણધર વરદત્તનાં પગલાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy