SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સમવસરણ મહામંદિર ૫૩ મહાવીરસ્વામીના સમયથી આજ દિન સુધીમાં થયેલા ધર્મ-સંઘ દેશ અને સમાજ માટે પોતાનું આગવું સમર્પણ કરનાર પુણ્યવંત એવા ૨૭ સાધુ, ૨૭સાધ્વીજી, ૨૭ શ્રાવક અને ૨૭ શ્રાવિકાનાં ચિત્રો આરસ ઉપર લેમિનેશન કરી મૂકયાં છે. અમદાવાદના ભાઈશ્રી સ્નેહલે આ કાર્યમાં પોતાના પ્રાણ અને ભકિત પૂર્યા છે. મંદિરમાં તે સિવાય અન્ય રચનાઓ છે. મંદિરની બહાર નીકળતાં ત્રણ ગઢની ઉપર જવા ૧૦૮ પગથિયાં છે. સૌથી ઉપર અશોક વૃક્ષ અને ચૈત્ય વૃક્ષ ૨૭'×૩૭'ના ઘેરાવામાં છે, જેનું વજન આશરે ૫૦૦ ટન છે. વીંટી જેવા વર્તુળાકારમાં ૪૨ ફૂટ ઊંચા અને ૧૬ ફૂટ પહોળા અષ્ટમંગલથી તેમ જ છેક ટોચ ઉપર ઊંધા કમળની પાંખડીઓથી સુશોભિત માણેક સ્થંભ રત્નની જેમ દીપી ઊઠે છે. સૌથી ઉપર ચોવીસમા તીર્થકર શ્રી મહાવીર સ્વામીની ૬૧ ઇંચની ચૌમુખ પ્રતિમાજી છે. સાક્ષાત ભગવાન શ્રી મહાવીરસ્વામી સમવસરણ પર બેસી આપણને દૂર દૂર સુધી તેઓનાં દર્શન થાય તેવી રીતે દેશના આપી રહ્યા છે તેવો દર્શન કરતાં ભાવ ઉત્પન્ન થાય છે. એકસરખા સ્થાપત્યવાળાં દેરાસરો અનેક બને છે, પરંતુ આ એક એવું સ્થાપત્ય છે કે જે વિશ્વમાં અજોડ છે. એક જ મંદિરમાં આપણને ચોવીસ તીર્થકરો, ૧૦૮ પાર્શ્વનાથ ભગવાન તથા ૧૦૮ પરદેશમાં તથા ભારતમાં આવેલ તીર્થોનાં દર્શન થાય છે. પાલીતાણા જાવ ત્યારે એક દિવસ આ મંદિરમાં સેવા-પૂજા-ભકિત-દર્શન જરૂરથી કરજો. આ મંદિરની પ્રતિષ્ઠા સંવત ૨૦૪૧ માગશર સુદ ૬ના રોજ પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા.ના હસ્તે થઈ હતી. ૧૦૮ જૈન તીર્થોનાં દર્શન કરાવતો ગ્રંથ શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શનાવલિ, વસાવવા યોગ્ય છે. પ્રાપ્તિસ્થાન - શ્રી સમવસરણ મહામંદિર, પાલીતાણા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy