SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ (૮) શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન તથા શ્રી સમવસરણ મહામંદિર. જગતના તમામ ધર્મોમાં જૈન ધર્મની એક મહત્તા એનાં ભવ્ય અલૌકિક અને અધ્યાત્મભાવનાથી ભરપૂર તીર્થો છે. આ તીર્થો ભકતની ભકિત, શ્રેષ્ઠિની દાનવીરતા, સાધકની ઉપાસના અને સાધુજનો ની સમતાનો સંદેશ આપીને સંસાર સમુદ્ર તરવા માટે જિનભકિતનો ઉપદેશ આપે છે. સમગ્ર દેશમાં અને વિદેશોમાં અનેક જિનાલયો આવેલા છે. પરન્તુ પાલીતાણામાં આવેલ શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શન ભવન તથા શ્રી સમવસરણ મહામંદિરમાં એક સાથે અનેક તીર્થોના દર્શન – પૂજન - ભકિતનો લાભ મળે છે. શ્રી જિનશાસનની કીર્તિગાથાને રજૂ કરતાં ૨૭ સાધુ, ૨૭ સાધ્વી, ૨૭ શ્રાવકો, ૨૭ શ્રાવિકાઓના શિલ્પ સ્થાપત્યના નમૂના રૂપ ૧૦૮ જીવનચિત્રોને તૈયાર કરાવવા માટે કલ્પનામાં પણ ન આવે તેટલા ભવ્ય બન્યા છે. ભારત અને ભારત બહારના મુમુક્ષો, વિદ્વાનો અને શિલ્પ-કળાના રસિકો માટે એક લઘુ યુનિવર્સિટી જેવું બન્યું છે. પાલીતાણા તળેટીથી ૮૧ ફૂટ ઊંચે અને બાબુના દેરાસરની સામે, ગિરિરાજ પર થોડાં પગથિયાં ચઢતાં જમણી બાજુએ ૨૦ હજાર વાર ૪૦૦૪૪૫૦ ફૂટ લંબાઈ-પહોળાઈવાળી વિશાળ જમીનમાં આવેલ છે. ૧૦૮ ફૂટની ઊંચાઈવાળ આ સમવસરણ મહામંદિર પૂજ્ય આચાર્યદેવજવકસૂરસૂરીશ્વરજી મ.સા. ને આવેલાં સ્વપ્નોનાં ૧૦ માં ભાગ જેટલું પરમપૂજ્ય આચાર્યદેવ વિજય શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી ૧૪ વર્ષના અથાગ પરિશ્રમ પછી રૂપિયા દોઢ કરોડના ખર્ચે બન્યું છે. પ્રથમ મંદિરમાં પ્રવેશતાં ચાર દિશામાં ચાર ભગવાન તથા ૨૦ તીર્થકરો છે. પૂર્વ દિશામાં શ્રી આદીશ્વર ભગવાન, દક્ષિણ દિશામાં શ્રી શાંતિનાથ ભગવાન, પશ્ચિમ દિશામાં ઘેટી તરફ શ્રી નેમિનાથ ભગવાન અને ઉત્તર દિશામાં પાલીતાણા ગામ તરફ શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિઓ છે. આ ચારે મૂર્તિઓ ૪૧ ઇંચની છે. તેમની સાથે બીજા ૨૦ તીર્થકરો છે. સામી બાજુ ગોળાકારમાં ૧૦૮ પાર્શ્વનાથ ભગવાન છે. બહાર નીકળતાં બીજા ભાગમાં પ્રવેશતાં રંગીન ફોટોગ્રાફીથી બનાવેલ ૧૦૮ જૈન તીર્થોના પટોના દર્શન થાય છે, જે ૭૨"x૩૦” ની આરસની લાદી ઉપર આધુનિક પદ્ધતિએ લેમિનેશન કરી બનાવ્યાં છે. તીર્થનું દેરાસર, મૂર્તિ તથા સંક્ષિપ્ત ઇતિહાસ આપેલ છે. તીર્થપટોની સામેની ગોળાઈમાં પ્રભુ શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy