________________
તળેટીમાં આવેલા મંદિરો (૨) શ્રી કેશરિયાજી મંદિર
આચાર્ય ભગવંત શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી આ મંદિરની પ્રતિષ્ઠા સંવત ૨૦૨૬માં થઈ હતી. મંદિરમાં શ્રી કેશરિયાજી આદીશ્વર ભગવાનની અલૌકિક મૂર્તિ છે. મંદિર ખૂબ વિશાળને ઊંચાઈવાળું છે. મંદિરના મુખ્ય દ્વાર પાસે શ્રી ચક્રેશ્વરી દેવી તથા કવયક્ષની દેરી છે. મંદિરની આગળ બે હાથી છે, જે મંદિરની ભવ્યતામાં વધારો કરે છે. મંદિરની બાજુમાં ધર્મશાળા, ઉપાશ્રય, ભોજનશાળા વગેરે છે. (૩) શ્રી વર્ધમાન જૈન આગમમંદિર
આગમોદ્વારક પૂજ્ય આચાર્યદેવ શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ.સા. ના સઉપદેશથી જય-તળેટીની પાસે શત્રુંજયના મુખ્યદ્વાર રૂપે જામનગરના નગરશેઠ શ્રી પોપટલાલ ધારશીભાઈ તરફથી સંવત ૧૯૯૯ ના મહા વદ ૧૦ના શુભ દિને ભવ્ય કલામય દેવરાજ શાશ્વત જિનપ્રાસાદ શ્રી વર્ધમાન જૈન આગમમંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી. શાસ્ત્રમાં સુપ્રસિદ્ધ પિસ્તાલીશ આગમોની વાણી આ આગમમંદિરમાં સંગેમરમર ઉપર મનોહર રીતે કોતરવામાં આવી છે. આગમોના પાઠ ભવિષ્યની પ્રજા માટે ઘણા ઉપકારક છે. મુખ્ય મંદિરમાં શ્રી ઋષભદેવ ભગવાનની ચૌમુખ પ્રતિમાઓ છે. ભમતીમાં ચારે બાજુ ૪૩ ચૌમુખ પ્રતિમાજીઓ આવેલ છે.
મુખ્ય મંદિરની બાજુમાં શ્રી સિદ્ધચક્ર મંદિર, ગુરુમંદિર વગેરે છે. ધર્મશાળા, ઉપાશ્રય પણ આવેલ છે. (૪) શ્રી ભૂલીપ
પરમ પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી અભયસાગરજી મ.સા.ની પ્રેરણાથી નિર્માણ થયેલ શ્રી જંબૂદ્વીપમાં ૯૫ ચૌમુખ પ્રતિમાજીવાળાં શાશ્વતચૈત્યો, ત્રણ કાંડ, ચાર વન, સત્તર શાશ્વત દેરાસરો - આદિ સાથે ૯૬ ફૂટની ઊંચાઈવાળા ભવ્ય મેરુપર્વતની રચના, કપર્વતો, ૯૦મહાનદીઓ, ૧૬મહાદ્રવ્યો આદિ વિવિધ શાશ્વત પદાર્થોની
ભવ્ય રચના શાસ્ત્રીય વર્ણન સાથે સુસંગત રીતે કરવામાં આવી છે. શાસનનાયક - શ્રી મહાવીર સ્વામીની કંચનવર્ણી ૭ હાથ પ્રમાણની ૧૦ ફૂટની પીળા પાષાણની ભવ્ય પ્રતિમા કાયોત્સર્ગમુદ્રાએ ૨૧ ફૂટના મંગલ તોરણવાળા સુંદર મંદિરમાં છે તથા અનેક રચનાઓ છે. નીચે ભોંયરામાં શ્રી મનોહર કલ્પદ્રુમ પાર્શ્વનાથ ભગવાન છે. આખા ભારતમાં શ્રી મહાવીર સ્વામી ભગવાન તથા શ્રી કલ્પદ્રુમપાર્શ્વનાથ ભગવાન જેવી મૂર્તિઓ બીજી કોઈ જગ્યાએ નથી. પાલીતાણા યાત્રા કરવા જાવ ત્યારે શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org