________________
४७
તીર્થ યાત્રા સિદ્ધાચળની પંચતીર્થી : (૧) મહુવા, (૨) તળાજા, (૩) દાઠા, (૪) ઘોઘા, (૫) ભાવનગર.
તીર્થ - યાત્રા
વીર સંવત ૩૭૦ ના અરસામાં મહાચમત્કારિક શાસનપ્રભાવક સિદ્ધપુરુષ શ્રી પાદલિપ્તસૂરીશ્વરજી મહારાજ વિચરતા હતા. ગુરુથી પ્રાપ્ત થયેલી આકાશગામી વિદ્યાને આધારે નિત્ય શત્રુંજયની તથા શ્રી સમેતશિખરજીની તીર્થવંદના કરીને જ આહાર વાપરતા. તેઓશ્રીના સેવક - ભકત નાગાર્જુન યોગીએ ગુરુના નામ-સ્મરણ માટે શત્રુંજયની તળેટીમાં પાદલિપ્તપુર' નામનું નગર વસાવ્યું, જે હાલ પાલીતાણા' નામે પ્રસિદ્ધ છે. અમદાવાદથી ૨૨૬ કિલોમીટર દૂર આવેલ છે.
પાલીતાણાની તળેટીમાં અનેક મહાપ્રભાવક જિનમંદિરો આવેલાં છે, તેમજ પાલીતાણા ગામમાં અનેક જિનમંદિરો, ધર્મશાળાઓ, ભોજનશાળાઓ, આયંબીલ શાળાઓ, પાઠશાળા, ઉપાશ્રયો, સાર્વજનિક દવાખાના - હોસ્પિટલ, ગુરુકુળ, બાલાશ્રમ, શ્રાવિકાશ્રમ, પાંજરાપોળ તથા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી વગેરે આવેલ છે. વળી તળેટીમાં તીર્થાધિરાજની યાત્રા કરીને આવનારને ભાતું આપવાની સુંદર વ્યવસ્થા પેઢી તરફથી ચાલે છે. જૈન ધર્મની આજ્ઞા અનુસાર આ સાતે ક્ષેત્રમાં ધન વાપરવું જોઈએઃ (૧) જિનમંદિર, (૨) જિનપ્રતિમા, (૩) જિનઆગમ, (૪) સાધુ, (૫) સાધ્વી, (૬) શ્રાવક, (૭) શ્રાવિકા. આપણા પૂર્વજોએ પાલીતાણામાં સાતે ક્ષેત્રમાં મન મૂકીને ધન વાપર્યું છે. પાલીતાણા તેનું ઉદાહરણ છે.
તળેટીમાં આવેલ જૈન મ્યુઝિયમ
(
શ્રી વિશાલ જૈન કલા સંસ્થાન જૈન મ્યુઝિયમ
)
જૈનધર્મના અતિપ્રાચીન કલાવૈભવ અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાના ઉદ્દેશથી શ્રીમદ્ વિજય વિશાલસેન સૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી શ્રી શત્રુંજય મહાતીર્થની તળેટીમાં શ્રી કેશરીયાજી દેરાસરની પાસે આશરે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org