SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ ભારતનાં મુખ્ય જૈન તીર્થો થયો. આ તળાવને ચિલ્લણ તળાવડી - ચંદન તળાવડી કહેવાય છે. અહીંનું જળ પવિત્ર છે. અહીં બે દેરીઓ આવેલી છે. તેમાં શ્રી અજિતનાથ ભગવાન તથા શ્રી શાંતિનાથ ભગવાનનાં પગલાં છે. પાસે સિદ્ધશિલા છે. ત્યાં ભાવિક જીવો ૧૦૮ લોગસ્સનો કાઉસગ્ગ કરે છે. શ્રી અજિતનાથ ભગવાન સિદ્ધગિરિ ઉપર ચાતુર્માસ માટે પધાર્યા. રાયણ વૃક્ષ પાસે થઈ ભદ્રકગિરિ શંગની નીચે તલાવડી આસપાસની ગુફા અને ટેકરી તથા છૂટક જમીન (ભાડવાના ડુંગરે) પર સ્થિર થયા. ઇન્દ્ર મહારાજે અહીં એક ભવ્ય પ્રાસાદ બંધાવ્યો. પ્રભુજી જ્યાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા હતા, ત્યાં ચરણપાદુકા સ્થાપી દેરી બંધાવી. બાદમાં ઘણા સમય પછી સોળમાં શાંતિનાથ ભગવાન થયા. તેઓએ પણ ચાતુર્માસ ઉપરના સ્થાને જ કર્યું. શાંતિનાથ ભગવાને જ્યાં કાઉસગ્ન-ધ્યાને રહ્યા હતા, ત્યાં ચરણ પાદુકા સ્થાપી દેરી બનાવી. આ બન્ને દેરીઓ સામસામે હતી. યાત્રિકોને દર્શન કરતાં અગવડ પડતી હતી, અને પૂંઠ પડવાથી આશાતના થતી હતી, જેથી શ્રી નંદિપેણમુનિ, જેઓ શ્રી નેમિનાથ ભગવાનના શિષ્ય હતા. તેઓએ શ્રી અજિતશાંતિ સ્તોત્રની રચના કરી, જેથી સ્તોત્રના પ્રભાવથી બન્ને દેરીઓ સામસામે બદલે સાથે થઈ. આ બન્ને દેરીઓ હાલ છગાઉની પ્રદક્ષિણા વખતે ચિલ્લણ તળાવડી પાસે આવે છે. આ બન્ને દેરીઓ ચમત્કારિક દેરીઓ તરીકે ઓળખાય છે. શ્રી અજિતનાથ ભગવાન તથા શ્રી શાંતિનાથ ભગવાને ચાતુર્માસ ભાડવાના ડુંગરે કરેલા. આ બે દેરીઓ જેવી બે દેરીઓ નવ ટૂકમાં છીપા વસહી ટૂક પાસે આવેલી છે. ત્યાંથી આગળ જતાં ભાડવાનો ડુંગર છે. અહીં સાંબ -- પ્રદ્યુમ્ન સાડા આઠ કરોડ મુનિઓ સાથે ફાગણ સુદ ૧૩ ના દિવસે મુકિત પામ્યા. આ જ કારણથી ફાગણ સુદ તેરસે છ ગાઉની પ્રદક્ષિણાનો મહિમા છે. અહીં એક દેરી છે. ઊતરતાં સિદ્ધવડ આવે છે. અનેક મુનિઓ મુકિત પામ્યા હોવાથી 'સિદ્ધવડ' નામે પ્રસિદ્ધ છે. અહીં આદિનાથ ભગવાનનાં પગલાંની દેરી છે. - ફાગણ સુદ ૧૩ના દિવસે અનેક ભાતાના પાલ (તંબૂઓ) નંખાય છે અને યાત્રિકોની દહીં, ઢેબરા લીંબુનું શરબત, ચા, કોફી, દ્રાક્ષ - ફળો આદિથી ભકિત કરવામાં આવે છે. ૩. બાર ગાઉની યાત્રા શેત્રુંજી પર બંધ બંધાતાં આયાત્રા બંધ થઈ છે. તેથી હાલ યાત્રાળુઓ શેત્રુજી ડેમ, ચોક, કદંબગિરિ, હસ્તગિરિ અને ઘેટીની યાત્રા કરી બાર ગાઉની યાત્રા કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy