________________
શત્રુંજય મુખ્ય પર્વો ભરત ચક્રવર્તીના પુત્ર આદિત્યશા ૧ લાખ સાથે મોક્ષે ગયા. બાહુબલિના પુત્રો ૧૦૦૮ સાથે મોક્ષે ગયા. દમિતારિ મુનિ ૧૪ હજાર સાથે મોક્ષે ગયા. અતીત ચોવીશીના ૨૪મા તીર્થકર શ્રી સંપ્રતિજિનના થાવસ્યા ગણધર ૧ હજાર સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. શુક્રપરિવ્રાજક ૧ હજાર સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. થાવસ્યા પુત્ર ૧ હજાર સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. કાલિક મુનિ ૧ હજાર સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા.
કદંબ ગણધર ૧ કરોડ સાથે ગિરિરાજ મોક્ષે ગયા. * સુભદ્રમુનિ ૭૦૦ સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. * શૈલકાચાર્ય ૫૦૦ સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા.
આ સિવાય ભરતના પુત્ર બ્રહ્મર્ષિ ચાર પુત્ર સાથે, શાંતનુ રાજા, ચન્દ્રશેખર રાજા, શ્રી ઋષભસેન જિન, દેવકીના છ પુત્રો, જાલિમાલિ-ઉવયાલિ, સુવ્રત શેઠ, મંડક મુનિ, આણંદ ઋષિ, સાત નારદ, અંધકવૃષ્ણિ તથા ધારણી તેમ જ તેના ૧૮ કુમારો વગેરે અનંત આત્માઓ આ ગિરિરાજ પર મુકિતપદને પામ્યા છે.
( શ્રી શત્રુંજય ગિરિરાજના મુખ્ય પર્વો તથા તેનાં કારણો )
૧. કારતક સુદ ૧૫-શ્રી ઋષભદેવ ભગવાનના પુત્ર દ્રાવિડને વારિખિલ્લ દશ
કરોડ મુનિવરો સાથે મોક્ષે ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org