________________
ભારતનાં મુખ્ય જૈન તીર્થો ૨. પોષ વદ ૧૩ - શ્રી ઋષભદેવ ભગવાન અષ્ટાપદે મોક્ષે ગયા. ૩. ફાગણ સુદ ૮ - શ્રી ઋષભદેવ ભગવાન આ તિથિએ પૂર્વ નવ્વાણું વાર
સિદ્ધાચલ ઉપર સમવસર્યા. ફાગણ સુદ ૧૦ - શ્રી ઋષભદેવ ભગવાનના પાલક પૌત્ર નામિવિનમિ વિદ્યાધરો બે ક્રોડ મુનિવરો સાથે સિદ્ધિપદ પામ્યા. ફાગણ સુદ ૧૩ - શ્રી કૃષ્ણ વાસુદેવના પુત્ર શામ્બ અને પ્રદ્યુમ્ન સાડા આઠ ક્રોડ મુનિ સાથે આ તીર્થના ભાડવા ડુંગરવાળા ભાગમાં સિદ્ધિ પદ પામ્યા. ફાગણ સુદ ૧૫-શ્રી ઋષભદેવભગવાનના મુખ્ય ગણધર શ્રી પુંડરીકસ્વામીએ પાંચ ક્રોડ મુનિ સાથે આ તિથિએ અનસન કર્યું. ફાગણ વદ ૮ - શ્રી ઋષભદેવ ભગવાનના જન્મ તથા દીક્ષા કલ્યાણક છે તેમ જ વર્ષીતપની શરૂઆત પણ આ દિવસથી જ કરાય છે. ચૈત્ર સુદ ૧૫- શ્રી પુંડરીક ગણધર પાંચ ક્રોડ મુનિવરો સાથે સિદ્ધપદ પામ્યા. વૈશાખ સુદ ૩ - શ્રી ઋષભદેવ ભગવંતે એ તિથિએ વર્ષીતપનું પારણું શ્રેયાંસકુમારના હાથે હસ્તિનાપુરમાં કર્યું હતું, આ કારણે આજે પણ વર્ષીતપનાં પારણાં પાલીતાણામાં સિદ્ધગિરિની યાત્રા કરી ભગવંતને શેરડીના રસથી પક્ષાલ કરી. શેરડીના રસથી થાય છે. "શ્રેયાંસકુમાર જેવો ઊંચો ભાવ શ્રી ઋષભદેવ ભગવાન જેવું પાત્ર અને ઈશુરસ જેવું દાન-એવો
ત્રિવેણી સંગમ જેવો પવિત્ર દિવસ તે વૈશાખ સુદ ૩." ૧૦. વૈશાખ વદ ૬ - સંવત ૧૫૮૭માં શત્રુંજય ગિરિરાજનો સોળમો ઉદ્ધાર
કરાવનાર કર્મા શાહે વર્તમાન મૂલનાયક શ્રી ઋષભદેવ ભગવાનની પ્રતિષ્ઠા
આ તિથિએ કરી છે, જેથી આ દિવસ શત્રુંજયની વર્ષગાંઠ તરીકે ઉજવાય છે. ૧૧. આષાઢ સુદ ૧૪ - ચોમાસાના ચાર મહિના યાત્રા બંધ થતી હોવાથી આ
દિવસે ઘણા યાત્રિકો વર્ષની છેલ્લી યાત્રા કરે છે. ૧૨. આસો સુદ ૧૫ - પાંચ પાંડવો વીસ કરોડ મુનિ સાથે સિદ્ધિપદ પામ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org