SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ મહાસંઘપતિઓ ડોળીવાળા - ૨૦૦૦ છે. રાત્રે સન્માન સમારંભમાં જાવડશા જેવું બિરુદ મેળવનાર શ્રી રજનીભાઈ દેવડીવાળાએ પોતાનું મસ્તક શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈના ખોળામાં ઢાળી દીધું ને સદાને માટે આંખ મીંચી દીધી. પરલોકના અમરપંથે ચાલ્યા ગયા. શેઠ જાવડશા તથા તેમના ધર્મપત્ની સુશીલાબેન સંવત ૧૦૮ માં તેરમા ઉદ્ધારનું કામ પતાવીને શ્રી આદીશ્વર ભગવાનના શિખર પર ધ્વજ ચઢાવતાં હર્ષાવેશમાં બન્નેના હૃદય બંધ પડી ગયા અને સાથે ચોથા દેવલોકમાં ગયા. તેવી જ રીતે શ્રી રજનીભાઈ દેવડી અભિષેકનું કામ પતાવી હર્ષાવેશમાં ઉચ્ચ ગતિમાં ચાલ્યા ગયા. - તા. ૨૪-૧૨-૯૦ પોષ સુદ-૭ ને સોમવારના રોજ તેમની ભવ્ય શમશાનયાત્રા નીકળી અને તેમનો શ્રી ખેતલાવીર યાત્રિક ભવન પાસે અગ્નિસંસ્કાર કર્યો. તે જગ્યાએ ડોમ બાંધી ટેમ્પરરી સ્મારક ઊભું કર્યું છે. શ્રી શત્રુંજય ગિરિરાજના મહાસંઘપતિઓ )) E TODI: ANTIVIRUSE શ્રી શત્રુંજય તીર્થ પર ભરત ચક્રવર્તીથી માંડી સમરાશા સુધીના સંઘપતિઓની યાદી ટૂંકમાં નીચે મુજબ છે : ૧. શ્રી ભરત ચક્રવર્તીના સમયમાં ૯૯ કરોડ, ૮૯ લાખ, ૮૪ હજાર રાજાઓ સંઘપતિ બન્યા છે. ૨. શ્રી સગર ચક્રવર્તીના સમયમાં ૫૦કરોડ, ૯૫ લાખ, ૭પ હજાર રાજાઓ સંઘપતિ બન્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy