________________
૩૨
ભારતનાં મુખ્ય જૈન તીર્થો વિમલવાહન રાજા કરાવશે. શત્રુંજયના નાના અનેક ઉદ્ઘારો થયેલા છે, પણ મોટા સોળ ઉદ્ધારો ઉપર મુજબના છે.
તેજપાળ સોની
તેજપાળ સોની ખંભાતના વતની હતા. તેઓ જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજીના મુખ્ય શ્રાવક હતા. સંવત ૧૫૮૭માં કર્મા શાહે શત્રુંજય તીર્થ પર મૂળ મંદિરનો પુનઃ ઉદ્ધાર કરાવ્યો. પરંતુ બહુ પ્રાચીનતાને લીધે થોડા જ સમયમાં પાછું એ મૂળ મંદિર જીર્ણપ્રાય જેવું અને જર્જરિત થઈ ગયેલું દેખાવા લાગ્યું, તેથી તેજપાળ સોનીએ શ્રી હીરવિજયંસૂરિજીના સદુપદેશથી ઉદ્ધારનું કાર્ય શરૂ કર્યું. થોડાજ સમયમાં આખું મંદિર નવા જેવું તૈયાર થઈ ગયું. આ ચૈત્ય સમરાવવા માટે તેજપાળ સોનીએ જે ધન ખર્યું તે જોઈ લોકો તેને કલ્પવૃક્ષની ઉપમા આપતા હતા. સંવત ૧૬૫૦માં ખૂબ ધામધૂમપૂર્વક શ્રી તેજપાળ સોની સંઘ સહિત પધાર્યા અને શ્રી હીરવિજયસૂરિજીના હાથે મંદિરની પ્રતિષ્ઠા કરાવી. આવી સર્વાંગપૂર્ણ રચના પાછળ પોતાની અઢળક સંપત્તિ લગાડનાર શ્રેષ્ઠિ તેજપાળ સોનીએ સંવત ૧૬૫૦ માં આ મંદિરનું ‘નંદિવર્ધન’ એવું નામ આપ્યું હતું.
સંવત ૧૬૧૨માં મોગલ બાદશાહ અકબર દિલ્હીની ગાદીએ આવ્યા. જૈનાચાર્ય શ્રી હીરવિજયસૂરિનો પરિચય સાધવા તેમની ભાવના થઈ. સૂરિજી ગાંધાર હતા. અમદાવાદના સૂબા મારફતે તેઓશ્રીને ફત્તેહપુર સિક્રી પધારવા આમંત્રણ પાઠવ્યું. સૂરિજી બાદશાહના આમંત્રણનો સ્વીકાર કરી શાસનની પ્રભાવના કરવાના આશયથી ફત્તેહપુર સિક્રી પધાર્યા. આચાર્યશ્રીની વિદ્વતા, પ્રભાવ અને ધર્મચર્ચાથી અકબરને બહુ જ આનંદ થયો. જૈન સાધુની આકરી રહેણીકરણી, આચારવિચારથી બાદશાહ ખૂબ પ્રભાવિત થયા. શ્રી હીરવિજયસૂરિને 'જગદ્ગુરુ' નું બિરુદ આપ્યું. તેમ જ મોગલ સલ્તનતના વહીવટ નીચેના શ્રી સિદ્ધાચલજી, શ્રી ગિરનારજી, શ્રી તારંગાજી, શ્રીકેશરિયાજી, શ્રી આબુ, શ્રી રાજગૃહી, શ્રી સમેતશિખરજી વગેરે જૈનતીર્થો ઉ૫૨ જૈનોની સ્વતંત્રતા તથા યાવચંદ્રદિવાકરૌ અબાધિત કબજા-ભોગવટાનો ખરીતો (સનદ) આપ્યો. બાદશાહ જહાંગીર, બાદશાહ શાહજહાં અને બાદશાહ ઔરંગઝેબે એ સનદ તાજી કરી આપી હતી. જૈનાચાર્ય શ્રી હીરવિજયસૂરીશ્વરજી મ.સા. સંવત ૧૬૫૨ ના ભાદરવા સુદ ૧૧ ના દિવસે ઉનામાં (સૌરાષ્ટ્ર) કાળધર્મ પામ્યા. તેમના અગ્નિસંસ્કાર માટે અકબર બાદશાહે ૧૦૦ વીઘાં જમીન આપી હતી. આ ઉપરાંત શાંતિદાસ શેઠની કાર્યદક્ષતાથી ખુશ થઈ, બાદશાહ શાહજહાંએ સંવત ૧૭૧૩માં પાલીતાણા પરગણું બક્ષિસ આપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org