SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ભારતનાં મુખ્ય જૈન તીર્થો (શ્રી અજિતનાથ ભગવાન થયા ત્યાં સુધી), તે સર્વે આ તીર્થે મોક્ષે ગયા છે. (૮) આઠમો ઉદ્ધાર શ્રી વ્યંતરેન્દ્રનો, શ્રી અભિનંદનસ્વામીના શાસનમાં. (૯) નવમો ઉદ્ધાર શ્રી ચંદ્રયશા રાજાનો, શ્રી ચન્દ્રપ્રભસ્વામીના શાસનમાં. (૧૦) દશમો ઉદ્ધાર શ્રી ચક્રધર (ચક્રાયુધ) રાજાનો, શ્રી શાંતિનાથ ભગવાનના શાસનમાં. (શ્રી ચક્રાધર રાજા શ્રી શાંતિનાથ ભગવાનના પુત્ર હતા) (૧૧) અગિયારમો ઉદ્ધાર શ્રી રામચંદ્રજીનો શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનકાળમાં થયો. શ્રી રામચંદ્રજી વનવાસ વેઠી, રાવણને હરાવી અયોધ્યામાં પુનઃ પધાર્યા ત્યારે તેમના ભાઈભરત મહારાજાએ મોટા મહોત્સવપૂર્વક શ્રી૨ામચંદ્રજી, લક્ષ્મણજી, સીતાજી આદિનો પ્રવેશ કરાવ્યો. રાજ્ય શ્રી રામચંદ્રજીને સોંપી પોતે તેમની આજ્ઞાને અનુસરવા લાગ્યા. એક વાર દેવભૂષણ મુનિ પાસે પોતાનો પૂર્વ ભવ સાંભળી ભરતે દીક્ષા લીધી અને એક હજાર મુનિવરો સાથે શત્રુંજયની જાત્રા કરી, અનશન કરી, સર્વ કર્મ ખપાવી, કેવળજ્ઞાન પામી, હજાર મુનિવરો સાથે મોક્ષે ગયા. શ્રી રામચંદ્રજી તથા શ્રી લક્ષ્મણજીએ આ તીર્થે આવી અગિયારમો ઉદ્ધાર કર્યો. (૧૨) બા૨મો ઉદ્ધાર પાંડવોનો ભગવાન શ્રી નેમિનાથના શાસનકાળમાં પાંચ પાંડવોએ બારમો ઉદ્ધાર કરાવ્યો. શ્રી ધર્મઘોષ મુનિના ઉપદેશથી પાંચે પાંડવો, કુંતી અને દ્રૌપદીએ દીક્ષા અંગીકાર કરી અને પાંચે પાંડવોએ એવો અભિગ્રહ કર્યો કે શ્રી નેમિનાથ ભગવાનને વંદન કર્યા બાદ પારણું કરીશું. વિહાર કરતાં કરતાં પાંડવો જ્યારે હસ્તિકલ્પ નગરમાં આવ્યા ત્યારે શ્રી નેમિનાથ ભગવાનનું નિર્વાણ સાભળ્યું, એટલે તેઓ સિદ્ધગિરિ આવી, અનશન કરી, કેવળજ્ઞાન પામી, મોક્ષે ગયા. પાંચમા આરામાં થયેલા ઉદ્ધારો (૧૩) તેરમો ઉદ્ધાર શ્રી જાવડશાનો વિ.સં. ૧૦૮ કાંપિલ્ય નગરમાં ભાવડશા નામના શેઠ રહેતા હતા. તેમને ભાવલા નામે પત્ની હતી. ઘોડાના વેપારમાં તેઓ ખૂબ પૈસા કમાયા. વિક્રમ રાજાને કેટલાક ઘોડાઓ ભેટ આપ્યા, તેથી વિક્રમ રાજાએ ખુશ થઈ ભાવડશાને મધુમતી (મહુવા) સહિત બાર ગામોના માલિક બનાવ્યા. જ્યારે ભાગ્ય જોર કરે છે ત્યારે અણચિંતવ્યું આવી મળે છે અને ભાગ્ય પરવારે છે ત્યારે ચારે બાજુએથી આપત્તિઓનો વરસાદ વરસે છે. સુખદુઃખમાં સમભાવ રાખવો તે જ જીવનની મહત્તા. ભાવડશાને જાવડશા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy