________________
શત્રુંજય તીર્થ પર થયેલા મોટા ૧૬ ઉદ્ધારો
(૧)
પહેલો ઉદ્ધાર ભરત મહારાજાનો
શ્રી ઋષભદેવ ભગવાનને સો પુત્રો હતા. તેમાં સૌથી મોટા પુત્ર ભરત મહારાજાએ આ તીર્થનો પ્રથમ ઉદ્ધાર કર્યો. સુવર્ણમય મંદિર બનાવી, શ્રી ઋષભદેવ ભગવંતની તેજસ્વી રત્નમય ચતુર્મુખ પ્રતિમા તથા શ્રી પુંડરીકસ્વામી, નમિ-વિનમિ, શ્રી નાભિરાજા, શ્રી મરુદેવી માતા, સુનંદા, સુમંગલા, બ્રાહ્મી, સુંદરી તથા બીજા કેટલાક પૂર્વજોની પ્રતિમાની પણ સ્થાપના કરી.
બીજાં નવીન મંદિરો બનાવી શ્રી અજિતનાથ ભગવાન વગેરે ચોવીસે તીર્થંકરોના પોતપોતાના દેહ અને વર્ણ પ્રમાણે બિમ્બો ભરાવી સ્થાપના કરી. આ રીતે ભરત મહારાજાએ ગિરિરાજ પર મંદિરોનું નગર બનાવ્યું. સઘળાં બિમ્બોના પ્રતિષ્ઠાવિધિ, અંજનશલાકા શ્રી નાભ ગણધર પાસે કરાવ્યા.
શ્રી ગૌમુખ નામનો યક્ષ અને શ્રી ચક્રેશ્વરી નામે શાસનદેવી શ્રી શત્રુંજય મહાતીર્થનું રક્ષણ કરનારાં થયાં.
(૨)
બીજો ઉદ્ધાર ભરત ચક્રવર્તીના વંશના શ્રી દંડવીર્ય રાજાએ કરાવ્યો. (૩) ત્રીજો ઉદ્ધાર બીજા દેવલોકના ઈન્દ્ર શ્રી ઈશાન ઈન્દ્રે કરાવ્યો. ચોથો ઉદ્ધાર ચોથા દેવલોકના ઈન્દ્ર શ્રી માહેન્દ્ર ઈન્દ્રે કરાવ્યો. (૫) પાંચમો ઉદ્ધાર પાંચમા દેવલોકના ઈન્દ્ર શ્રી બ્રહ્મેન્દ્રે કરાવ્યો.
(૪)
(૬)
છઠ્ઠો ઉદ્ધાર ભવનપતિના ઈન્દ્ર શ્રી ચમરેન્દ્રએ કરાવ્યો.
(૭)
સાતમો ઉદ્ધાર શ્રીસગર ચક્રવર્તીનો – શ્રી અજિતનાથ ભગવાનનાસમયમાં બીજા ચક્રવર્તી સગર નામે થયા. તેમણે સાતમો ઉદ્ધાર કરાવ્યો. તે વખતે દુઃષમ કાળ આગળ આવી રહ્યો છે તેનો સગર ચક્રી સાથે વિચાર કરીને દેવોએ, શ્રી ઋષભદેવ ભગવાનની ભરત મહારાજાએ પધરાવેલી રત્નમય પ્રતિમાઓની, પર્વત પર ૨ાયણ વૃક્ષ નીચે સોવન (સુવર્ણ) નામની ગુફામાં, સ્થાપના કરી. ત્યાં અનેક દેવદેવીઓ રોજ તે મૂર્તિઓની પૂજા કરવા આવે છે અને વાજિંત્રો સાથે ગુણગાન કરે છે. ત્રીજે ભવે મોક્ષ જનાર મહાભાગ્યશાળી આત્માઓ સ્વપ્નમાં તે રત્નમય શ્રી ઋષભદેવ ભગવાનની પ્રતિમાજીનાં દર્શન કરે છે. આથી જ રાયણ વૃક્ષ અને રાયણપગલાં મહાપ્રભાવિક તથા પૂજનીય છે. ભરત ચક્રવર્તીની પાટે જેટલા રાજાઓ થયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org