________________
શ્રી શત્રજય માહાભ્ય
પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાનના આદેશથી શ્રી પુંડરીક ગણધરે વિશ્વના હિતને માટે શ્રી શત્રુંજય માહાભ્ય સવાલાખ શ્લોકપ્રમાણવાળું કરેલું હતું. તે પછી શ્રી મહાવીર સ્વામી ભગવાનના આદેશથી શ્રી સુધર્માસ્વામી ગણધરે ચોવીસ હજાર શ્લોકપ્રમાણવાળું શત્રુંજય-માહાત્મ તૈયાર કર્યું.
શ્રી શત્રુંજય મહાતીર્થનો ઉદ્ધાર કરનારા મહારાજા શીલાદિત્ય રાજેશ્વરના આગ્રહથી વલ્લભીપુરમાં આચાર્ય ભગવંત શ્રી ધનેશ્વરસૂરિજી મ.સા. એ વિ.સં. ૪૭૭માં ૯ હજાર ઉપર શ્લોકપ્રમાણ સંસ્કૃત ભાષામાં શ્રી શત્રુંજય-માહાત્મ ગ્રંથ રચ્યો. શ્રી શત્રુંજય-માહાભ્ય' ગ્રંથની ગુજરાતી ભાષામાં પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકનકચંદ્રસૂરીશ્વરજી મ.સા. એ પ્રથમ આવૃત્તિ સંવત ૨૦૧૨માં તથા દ્વિતીય આવૃત્તિ સંવત ૨૦૩૨માં તથા તૃતીય આવૃત્તિ સંવત ૨૦૪૮ માં પ્રગટ કરી. પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી કંચનસાગરસૂરીશ્વરજીએ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન' નામના સુંદર ગ્રંથની ગુજરાતી-અંગ્રેજીમાં ચિત્રો સહિત પ્રથમ આવૃત્તિ સંવત ૨૦૩૫માં તથા દ્વિતીય આવૃત્તિ સંવત ૨૦૩૮માં પ્રગટ કરી, તેના આધારે અનેક નાનાં-મોટાં પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે.
આ તીર્થ પર પ્રથમ ભરત ચક્રવર્તીએ તીર્થસ્થાપના કર્યા પછી મોટા સોળ ઉદ્ધાર થયેલા છે. દરેક ઉદ્ધાર વખતે મૂળ દેરાસર, મૂળ નાયકજીની પ્રતિમા, શ્રી શત્રુંજયના અધિષ્ઠાયક દેવ ગોમુખયક્ષ (કવડ યક્ષ) અને અધિષ્ઠાયિકા શ્રી ચક્રેશ્વરી માતાની પ્રતિમા નવી કરાવવામાં આવે છે તથા પધરાવવામાં આવે છે. છેલ્લો ઉદ્ધાર સંવત ૧૫૮૭માં કર્માશાએ કરાવેલો છે. હાલમાં શત્રુંજય શ્રી આદીશ્વર ભગવંતની જે મૂર્તિ બિરાજમાન છે, તે સંવત ૧૫૮૭માં કર્માશાએ પ્રતિષ્ઠિત કરેલી છે. હાલનું દેરાસર સંવત ૧૨૧૩માં શ્રી બાહડ મંત્રીએ બંધાવેલું છે.
8
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org