________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
૩૩૩ પૂજનીય દૂક છે. આ ટ્રકને મોર્ક પણ કહે છે. નીચે પ્રમાણે સાત ટૂકો છે. (૧) શ્રી નેમિનાથ ભગવાનની ટૂક. (૨) શ્રી અંબાજી માતાની ટૂક. (૩) શ્રી ઓઘડશિખર (૪) શ્રી શ્યામ શિલા' શ્રી નેમિનાથ ભગવાન નિર્વાણ સ્થળ. (૫) શ્રી વરદત્ત ટૂક (શ્રી વરદત્તગણધરનાં પગલાં). (૬) રેણુકા શિખર-માર્ગ વિકટ છે. દેરાસર કોઈ નથી. (૭) કાલિકા શિખર-માર્ગ વિકટ છે. દરાસર કોઈ નથી. સહસાવન (સહસામ્રવન) :
ચૌમુખી ગંગાથી આગળ એક રસ્તો ડાબી બાજુએ સહસાવન તરફ જાય છે. ત્યાં હજારો આંબાના વૃક્ષો છે જેથી તેને સહસામ્રવન” કહે છે અહીં શ્રી નેમિનાથ ભગવાનનાં દીક્ષા તથા કેવળજ્ઞાન કલ્યાણકો થયેલાં છે તથા રાજીમતી મોક્ષે ગયા છે. અત્રે શ્રી નેમિનાથ ભગવાન તથા શ્રી રાજીમતીનાં પગલાંની દેરીઓ છે. ધર્મશાળા છે તથા નવું સમાવેસરણવાળું ભવ્ય દેરાસર બનેલ છે જેમાં મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનની ચૌમુખ પ્રતિમાજીઓ છે.
શ્રી નેમિનાથ ભગવાનને દીક્ષા લીધા પછી માત્ર-૫૪ દિવસમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું, જેથી આ સ્થળ ખૂબ પવિત્ર છે અને સાધના કરવા માટે ઉત્તમ સ્થળ છે.
સહસાવનથી નીચે ઉતરી સીધા તળેટીએ જવાનો રસ્તો છે.
જૂનાગઢ ગામનાં દેરાસરો તથા શ્રી ગિરનારજી તીર્થ ઉપરનાં દેરાસરોનો વહીવટ શેઠદેવચંદ લક્ષ્મીચંદની વતી અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી કરે છે. જોવાલાયક સ્થળો : (૧) નરિસહ મહેતાનો ચોરો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org