________________
૩૩૨
શ્રી ગિરનાર તીર્થ રસોડામાં ગઈ ત્યાં બધા વાસણો સોનાનાં થઈ ગયેલાં જોયા. આથી આશ્ચર્ય પામી અને વિચારવા લાગી કે અરે હું કેવી નિર્ભાગી કે નિરઅપરાધી સાક્ષાત કલ્પવૃક્ષ સમાન-લક્ષ્મી સમાન એવી મારી પુત્રવધુ અંબિકાને ઓળખી ના શકી અને કાઢી મૂકી, હવે આ સંપત્તિ ટકશે નહીં, જેથી દેવલે પોતાના પુત્ર સોમભટ્ટનુંને અંબિકા તથા બે બાળકોને પાછા બોલાવી લાવવા મોકલ્યો. સોમભટ્ટ પાછા બોલાવવા જવા દોટ મૂકી, પત્ની તથા બે બાળકોને જોયા, જોરથી બૂમ પાડવા લાગ્યો, અંબિકા સમજી કે પતિ મારી નાંખવા આવે છે. જેથી બે બાળકો સાથે શ્રી અરિહંત ભગવંત, શ્રી સિદ્ધ ભગવંત, શ્રી સાધુ ભગવંત, શ્રી જીવનપ્રણિત ધર્મરૂપ શરણને સ્વીકાર કરી કૂવામાં પડી મરણ પામીને વ્યંતર નિકાયમાં દેવી તરીકે ઉત્પન્ન થઈ. સોમભટ્ટ પણ ત્રણેને કૂવામાં પડેલા જોઈને તે પણ કુવામાં પડ્યો અને મરણ પામીને અંબિકાદેવીના વાહનભૂત સિંહરૂપ દેવ થયો. શ્રી અંબિકાદેવી સિંહવાહનવાળી, બે પુત્રો સાથે રૈવતગિરિ ઉપર શ્રી નેમિનાથ ભગવાનને વંદન કરવા આવ્યા, ઈન્દ્ર શ્રી અંબિકાદેવીને અધિષ્ઠાયિકાદેવી તરીકે સ્થાપ્યા ને ગોમેધયક્ષને અધિષ્ઠાયક દેવ તરીકે સ્થાપ્યાં.
(૧૦) ત્રીજી ટૂક : શ્રી અંબિકા માતાની ટૂકથી આગળ જતાં ઓઘડશિખર આવે છે, ત્યાં શ્રી નેમિનાથ ભગવાનનાં સંવત : ૧૯૨૭ વૈશાખ સુદ-૩ શનિવારના પ્રતિષ્ઠિત કરેલા પગલાં છે. જે બાબુ ધનપતસિંહજીએ પધરાવેલા છે.
(૧૧) પાંચમી ટૂંક : ત્યાંથી લગભગ ૪૦૦ ફૂટ નીચે ઉતરીને વળી ચડાવ આવે છે ત્યાં ટેકરી ઉપર શ્રી નેમિનાથ ભગવાનનાં તથા શ્રી વરદત્ત ગણધરનાં પગલાં આવે છે. પગલાંની પ્રતિષ્ઠા સંવત : ૧૨૪૪માં થયેલી છે. આ ટૂકને પાંચમી ટૂંક-વરદત્ત ટૂક-દત્તાત્રયી પણ કહે છે. શ્રી વરદત્ત ગણધર આ ટૂકે મોક્ષે ગયા છે. પાંચમી ટૂક સૌથી ઊંચામાં ઊંચી ટૂક ગણાય છે. દરિયાની સપાટીથી ૩૬૬૬ ફૂટની ઊંચાઈએ છે. પાંચમી ટૂકે દેરાસરમાં મોટો ઘંટ છે.
(૧૨) ચોથી ટૂક બાજુમાં એક શ્યામશિલાગે છે, તેના ઉપર શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ તથા બીજી શિલામાં પગલાં છે. શ્રી નેમિનાથ ભગવાન આ ટ્રકે મોક્ષે ગયા છે. ગિરિરાજ ઉપરની આ સૌથી મહત્ત્વની,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org