________________
૩૩૦
શ્રી ગિરનાર તીર્થ છે. તમે તો અમૃત સમાન વૈરાગ્યમાર્ગ ગ્રહણ કર્યો છે. તે ભૂલી જાઓ છો ! તેના કરતાં તો આપઘાત કરવો સારો છે.” રાજીમતીના ઉપદેશ અને કડક વચનોથી રહનેમિને પુનઃ વૈરાગ્યભાવ ઉત્પન્ન થયો. રાજીમતીની અત્યંત દીનભાવે ક્ષમા યાચી. પ્રભુ પાસે તેનું પ્રાયશ્ચિત ગ્રહણ કરી, ઘોર તપશ્ચર્યા અને સાધનાના માર્ગે આત્મશુદ્ધિને પ્રગટ કરી મુકિત પામ્યા. રાજીમતી પણ પરમ વૈરાગ્યની સાધના કરી પાંચસો વર્ષ કેવળીપણે રહી અંતે સહસાવનમાં નિર્વાણ પામ્યાં. મોક્ષે ગયાં. (૬) શ્રી ચોરીવાળું દેરાસર :
મલ્લવાળા દેરાસરની આગળ જતાં જમણી બાજુચોરીવાળ (ચૌમુખજીનું) મંદિર આવે છે. તેમાં શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન, શ્રી ચંદ્રપ્રભસ્વામી ભગવાન, શ્રી નેમિનાથ ભગવાન, શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાં ચારે દિશામાં છે. આ મંદિરની પ્રતિષ્ઠા સંવત : ૧૫૧૧માં શ્રી જિનહર્ષસૂરિજીએ કરાવી છે. આ મંદિર શ્રી શામળા પાર્શ્વનાથના નામે ઓળખાય છે.
(૭) મુખ્ય રસ્તાની આગળ જતાં ડાબી બાજુ ગૌમુખી ગંગા આવે છે. ત્યાં કુંડ છે. ગાયના મુખની આકૃતિ છે, તેમાંથી પાણીનું ઝરણું આવે છે. તેની બાજુમાં ચોવીસ તીર્થકર ભગવાનનાં પગલાં છે.
(૮) ગૌમુખ ગંગાથી આગળ મુખ્ય રસ્તે અંબાજી માતાના મંદિર તરફ જતાં, શ્રી નેમિનાથ ભગવાનના ભાઈ શ્રી રહનેમિનું મંદિર આવે છે. જેમાં શ્રી રહનેમિની મૂર્તિ છે. આગળ જતાં ગજપદકુંડ આવે છે. બીજી ટૂંક : શ્રી અંબાજી માતાની ટૂક :
શ્રી નેમિનાથ ભગવાનની ટૂકેથી ૩૦૦ ફૂટ ઊંચે કંઈક પહોળા શિખર ઉપર શ્રી અંબાજીમાતાનું મંદિર આવેલું છે. શ્રી અંબિકાદેવી બાવીસમાં તીર્થકર શ્રી નેમિનાથ ભગવાનના અધિષ્ઠાયિકા દેવી છે. શ્રી રહનેમિના મંદિરેથી આગળ ચઢતાં આ ટૂક આવે છે. આ મંદિર શ્રી વસ્તુપાળ-તેજપાળે બંધાવેલ છે. પેઢી તરફથી સંવત : ૧૮૮૩ના અષાઢ સુદ-૧ના દિવસે મંદિરના કમાડ કરાવ્યાનો ઉલ્લેખ છે. મંદિરના પાછળના ભાગમાં પગલાંઓ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org