________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
૩૨૯
કિલ્લો છે, જે સંવત : ૧૯૩૨માં કચ્છ દેશના નાલિયા ગામના વતની શેઠ નરશી કેશવજીએ બંધાવ્યો છે.
(૯) શ્રી સંભવનાથ ભગવાનની ટૂક :
શ્રી સંભવનાથ ભગવાનનું શિખરબંધી ચોમુખજીનું દેરાસર છે. આ મંદિર શ્રી વસ્તુપાળ-તેજપાળે તેમના માતા કુમારદેવીના નામથી બંધાવ્યું હતું.
અન્ય જૈનમંદિરો :
(૧) શ્રી ચંદ્રપ્રભસ્વામી ભગવાનનું મંદિર-સગરામ સોનીની ટૂંકની
બાજુમાં.
(૨) નવાકુંડ પાસે ચોવીસ તીર્થંકરોની દેરીઓ.
(૩) શ્રી શાંતિનાથ ભગવાનનું શિખરબંધી દેરાસર છે, જેનો જીર્ણોદ્ધાર શેઠ ધરમચંદ હેમચંદે સંવત : ૧૯૩૨માં કરાવ્યો હતો.
(૪) મલ્લવાળું (જોરાવરમલ્લનું) શ્રી શાંતિનાથ ભગવાનનું શિખરબંધી દેરાસર આવે છે.
(૫) શ્રી રાજીમતીની ગુફા :
નીચાણમાં શ્રી રાજીમતીની ગુફા આવે છે, જેમાં રાજીમતીની ઊભી મૂર્તિ છે, તથા બાજુમાં રહનેમિની નાની મૂર્તિ છે. પહેલી ટૂકથી ૨૦૦ પગથિયા ચઢવા પડે છે. દીક્ષા ગ્રહણ કર્યા પછી એકવાર રાજીમતી ગિરનાર તરફ જઈ રહ્યાં હતાં ત્યારે મુશળધાર વરસાદ થવાથી તેમના વસ્ત્રો ભીના થઈ ગયાં જેથી તેને સુકવવા તેઓ એક ગુફામાં પ્રવેશ્યાં અને કપડાં સુકવ્યાં. શ્રી નેમિનાથ ભગવાને દીક્ષા લીધી ત્યારે તેમના નાના ભાઈ રહનેમિએ સંસારથી વેરાગ્ય પામી શ્રી નેમિનાથ ભગવાન પાસે દીક્ષા લીધી અને આજ ગુફામાં ધ્યાનમગ્ન હતા. ગુફામાં સંચાર થવાથી આંખો ખોલી, રાજીમતીને નિવસ્ત્ર જોતાં રાજીમતી ઉપર મોહિત થઈ અઘટિત માંગણી કરવા લાગ્યા, રાજીમતીએ વસ્ત્રોથી દેહને તરત જ ઢાંકી દીધો અને રહનેમિને કહેવા લાગ્યા કે "તમે કોના ભ્રાતા છો ? તમો સાધુવ્રતમાં છો. તમારા ભાઈએ જેનો ત્યાગ કર્યો છે તે વમન થયેલો પદાર્થ છે. તમને ખપે નહિં. વળી જે શરીર પર તમને મોહ થયો છે. તે તો હાડકાં, માંસ અને રૂધિરથી ભરેલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org