________________
૩૨૮
શ્રી ગિરનાર તીર્થ જૈન, ૧૧૦૦ દિગંબર જૈનો, ૪૫૦ ગાંધર્વ, ૩૩૦૦ ભાટ તથા બહોળી રિયાસત હતી.
શ્રી વસ્તુપાળ સંવતઃ ૧૨૯૬ માહ વદ-૫ તથા શ્રી તેજપાળ - સંવત : ૧૩૦૪માં મૃત્યુ પામ્યાં. શ્રી વસ્તુપાળ તથા અનુપમાદેવી મોક્ષે જશે.
શ્રી વસ્તુપાળ-તેજપાળની ટૂક - ગુજરાતના મહામાત્ય શ્રી વસ્તુપાળ - તેજપાળે બંધાવી છે. મૂળનાયક શ્રી શામળા પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ છે. મંદિરનો રંગમંડપ ૨૯ ફૂટ પહોળો અને પ૩ ફૂટ લાંબો છે. આ ટૂકમાં વસ્તુપાળ-તેજપાળના જીવનને લગતી તથા તેમના કરેલાં ધર્મ કાર્યો, કુટુંબ વગેરેનો ઈતિહાસ શિલાલેખોમાં છે. આ ટૂક ખાસ દર્શનીય છે. બે બાજુએ સમવસરણ તથા મેરૂપર્વતની પીળા આરસ પર રચના છે. (૮) શ્રી સંપ્રતિ મહારાજાની ટૂંક :
મૌર્યવંશી મહારાજા અશોકના પૌત્ર મગધસમ્રાટ પ્રિયદર્શી શ્રી સંપ્રતિ મહારાજાએ આચાર્ય શ્રી સુહસ્તિસૂરિ મહારાજના સદુપદેશથી જૈનધર્મસ્વકાર્યો હતો. તેઓએ ૩૬૦૦૦ નવા જૈન મંદિરો બનાવ્યાં તથા ૮૯૦૦૦ જૈન મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. દરરોજ ઓછામાં ઓછું એક જિનમંદિર તૈયાર થયેલું સાંભળી એમને ભોજન કરવાનો નિયમ હતો. સોના, ચાંદી, પંચધાત અને પાષાણની સવા ક્રોડ પ્રતિમાજીઓ તેમને ભરાવી હતી. તેમના સમયમાં જૈનોની વસ્તી ૪૦ ક્રોડની હતી. નવા મંદિરો બંધાવવા તેના કરતાં જીર્ણોદ્ધારમાં સોળ ગણો લાભ સમાયેલો છે. સંપ્રતિ મહારાજાએ પોતાના રાજ્યમાં કોઈ પણ જીવ ભૂખ્યો કે દુઃખી ન રહે તે માટે ૭૦૦ દાનશાળાઓ શરૂ કરી હતી. આ રીતે સંપ્રતિ રાજાએ પોતાનો જન્મ સફળ કર્યો હતો.
શ્રી સંપ્રતિ મહારાજાએ ગિરનાર પર્વત ઉપર આ ભવ્ય ટૂક બનાવી છે. મંદિર સુંદર તથા પ્રાચીન છે. મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનની શ્યામવર્ણી પ્રતિમાજી તથા બીજા ત્રેવીસ પ્રતિમાજીઓ છે. રંગમંડપમાં ૫૪ આગળ ઊંચી કાઉસ્સગિયાની મૂર્તિ છે. બે તેર-તેર ઈચની કાઉસ્સગિયા અને શ્રી ચક્રેશ્વરી દેવીની મૂર્તિ છે. એક ધાતુનું સુંદર કારીગરીવાળું પરિકર છે. ટૂંકમાં કુલ ૩૫ પ્રતિમાજીઓ છે. શ્રી સંપ્રતિ મહારાજાની ટૂક, શ્રી કુમારપાળ મહારાજાની ટૂક અને શ્રીવાસ્તુપાળ-તેજપાળની ટૂક આ ત્રણે ટૂકોને ફરતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org