________________
ભારતના મુખ્ય જૈન તીર્થો જીર્ણોદ્ધાર કરાવ્યો. એક લાખ ૨૫ હજાર નવા જિનબિંબો ભરાવ્યાં.
(૨) પ૦૫ સમવસરણ કરાવ્યાં.
(૩) મંત્રીશ્વર વસ્તુપાળ-તેજપાળે આબુ-ગિરનાર અને શત્રુંજ્યાદિ તીર્થોમાં ભવ્ય જિનમંદિરો બંધાવ્યા છે. આ ત્રણ તીર્થસ્થાનોમાં મંદિરો બંધાવવામાં કુલ ૪૪ ક્રોડ ૩૬ લાખ દ્રવ્ય ખરચ્યું હતું. શ્રી શત્રુંજ્ય તીર્થ ઉપર ત્રણ લાખ દ્રવ્ય ખર્ચા તોરણ બાંધ્યું.
(૪) શ્રી ગિરનારતીર્થ ઉપર બાર ક્રોડ સત્યાસી લાખ દ્રવ્ય ખરચ્યું.
(૫) શ્રી આબુતીર્થ ઉપર દેલવાડામાં બાર ક્રોડ તેપન લાખ દ્રવ્ય ખરચ્યું. કારીગરોને કોતરણી કરતા જેટલો ભૂકો પડે તેટલું ભારોભાર સોનું અને રૂપું આપ્યું હતું. આજે જગતમાં આ મંદિરની જોડ નથી. આ મંદિરો સદાકાળ આનંદ અર્પી રહ્યા છે. આ મંદિરનો જીર્ણોદ્ધારનું કામ કરાવવામાં અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજી પેઢીને સાત વર્ષ લાગ્યા અને ચૌદ લાખ પંચોતેર હજાર ખર્ચ થયો હતો.
(૬) એકવાર અનુપમાદેવી ઉદાસ હતા. વસ્તુપાળે પૂછયું કે દેવી તમો આજે કેમ ઉદાસ છો ? મેં દાન પાછળ કોઈ કમી રાખી નથી. નવા જૈનમંદિરો, જૈનમંદિરોના જીર્ણોદ્ધારો, જ્ઞાનભંડારો, ધર્મશાળાઓ, કૂવા, વાવ વગેરે બંધાવ્યા છતાં કંઈ કામ બાકી હોય તો કહો? અનુપમાદેવીએ વસ્તુપાળ ને કહ્યું કે જ્યાં સુધી ભૂખ્યાને અન્નનું દાન ના આપીએ ત્યાં સુધી દાન અધૂર છે. વસ્તુપાળે રસોડું ખોલ્યું તેમના રસોડે રોજના ૨૮૦૦ માણસો જમતા હતા. સાધર્મિકોને અનાજ, વસ્ત્ર, આવાસ, ઔષધ, કેળવણી, વ્યવસાય આપીને ભકિત કરવી જોઈએ.
(૭) ૯૮૪ ઉપાશ્રયો, ૭૦૦ ધર્મશાળાઓ બંધાવી. (૮) ૩૯ લાખ દ્રવ્ય ખર્ચા જ્ઞાનભંડારો કરાવ્યા. (૯) ૮૪ સરોવરો, ૪૦૦ પરબો, ૪૬૪ વાવો, ૯૦૦ કૂવા કરાવ્યા. (૧૦) અન્ય ધર્મો પાછળ પણ ઘણું દ્રવ્ય વાપર્યું.
શ્રી શત્રુંજ્યતીર્થ અને શ્રી ગિરનારતીર્થના બાર વખત વિશાળ સંઘ કાઢયા હતા. સંવત : ૧૨૮૨ માં જે મોટો સંઘ કાઢયો હતો તેમાં ૪૫૦૦ ગાડા, ૭૦૦ પાલખી, ૧૮૦૦ ઊંટો, ૨૧૦૦ મહેતા, ૧૨૧૦૦ શ્વેતાંબર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org