________________
૩૨૬
(૭) શ્રી વસ્તુપાળ-તેજપાળની ટૂંક :
રાણા વીરધવલના એક મંત્રી આશરાજ નામના હતા. તે જૈન હતા. સંહાલક ગામમાં રહેતા હતા. તેમને કુમારદેવી નામે સુશીલ પત્ની હતી. તેમને મલ્લદેવ, વસ્તુપાળ-તેજપાળ ૩ પુત્રો અને ૭ પુત્રિઓનો પરિવાર હતો. વસ્તુપાળ નાની વયથીજ તેજસ્વી હતા. વસ્તુપાળ-તેજપાળને પરસ્પર ખૂબ પ્રીતિ હતી. બન્નેની ધર્મ ઉપર અડગ શ્રદ્ધા હતી. વસ્તુપાળના પત્નીનું નામ લલિતાદેવી તથા સૌ ખુકાદેવી અને તેજપાળના પત્નીનું નામ અનુપમાદેવી હતું. માતાપિતાનું મૃત્યું થયું. બધાં માંડલ રહેવા આવ્યા. શોક ઓછો કરવા સિદ્ધાચલજીની યાત્રાએ જવાનું નક્કી કર્યું. પોતાની પાસેનું ધન દાટીને યાત્રાએ જવાનો વિચાર કર્યો. ઝાડ નીચે જ્યાં ધન દાટવા જાય છે, ત્યાં ધનનો ચરૂ નીકળ્યો.
શ્રી ગિરનાર તીર્થ
અનુપમાદેવીએ વસ્તુપાળને કહ્યું કે "નીચીગતિમાં જવું હોય તે ધનને જમીનમાં દાટે, ઉર્ધ્વગતિના ચિહ્નરૂપે સૌ જુએ અને આત્મા નિર્મળ કરે તે રીતે આ ધન વડે પહાડનાં શિખરો શોભાવો, અર્થાત પહાડો ઉપર સુંદર જિન મંદિરો બંધાવો."
રાણા વીરધવલને સારા મંત્રી તથા સેનાધિપતિની જરૂર હતી. સિદ્ધાચલજીની યાત્રા કરી પાછા વળતાં ધોળકા પધાર્યા. રાણા વીરધવલને ભાઈઓના આગમનની જાણ થઈ. રાજદરબારમાં આમંત્રણ આપી બોલાવ્યાં. વસ્તુપાળને ધોળકા અને ખંભાતના મહામંત્રી બનાવ્યાં અને તેજપાળને સેનાધિપતિ બનાવ્યાં.
વસ્તુપાળ અને તેજપાળે પોતાના બુદ્ધિબળ અને પરાક્રમથી વીરધવલ રાજાનું રાજ્ય ખૂબ વધાર્યું અને ભંડાર ધનથી ભરપૂર કર્યો. રાજ્યમાં શાંતિ-વ્યવસ્થા સ્થાપી વિજય ડંકો વગાડયો.
બન્ને ભાઈઓ જેવા રાજકાજમાં હોંશિયાર અને કુશળ હતા તેવાજ ધર્મમાં પણ અડગ શ્રદ્ધાવાળા હતા. આઠમ, ચૌદસ તપ કરતા, સામયિક, પ્રતિક્રમણ નિયમિત કરતાં. પ્રભુજીને પૂજા તથા ગુરુજીને વંદન નિત્ય કરતા. શ્રી કલીકુંડતીર્થ-ધોળકામાં આ બન્ને ભાઈઓની મૂર્તિ મૂકવી જોઈએ. શ્રી વસ્તુપાળ-તેજપાળની સખાવતોના સોનેરી આંકડાઓ :
(૧) ૧૩૧૩નવાશિખરબંધીજિનમંદિરો બંધાવ્યાં. ૩૨૦૨ જિનમંદિરોનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org