________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
બાર વ્રત અંગીકાર સંવતઃ ૧૨૧૬.
સ્વર્ગવાસ સંવત : ૧૨૩૦.
મહારાજા કુમારપાળે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના ઉપદેશથી : (૧)શ્રી જિનાગમના ૨૧ ભંડારો ભિન્ન ભિન્ન જગ્યાએ કરાવ્યા
હતા.
(૨) ૩૬૦૦૦ શ્લોક પ્રમાણ ત્રિષષ્ટિશલાકાપુરૂષ ચરિત્રની રચના શ્રી હેમચંદ્રાચાર્ય પાસે કરાવી હતી.
૩૨૫
૧
(૩) સાધર્મિક ભકિતમાં વર્ષે ૧ કરોડ એટલે ૧૪ વર્ષમાં ૧૪ કરોડ દ્રવ્ય વાપર્યું હતું.
(૪) ૧૮ દેશોમાં અમારી (અહિંસા)ની ઘોષણા કરાવી તથા બીજા દેશોમાં પ્રેમ અને બળથી અમારી પળાવી. પોતાના ૧૮ લાખ ઘોડા, ૧૧ લાખ હાથી, ૮૦ હજાર ગાયો, ૫૦ હજાર ઊંટોને ગાળીને જ પાણી પીવરાવવાની કડક વ્યવસ્થા કરી હતી.
(૫) ચોમાસામાં જીવહિંસાથી બચવા પોતાના નગર બહાર ન જવાનો નિયમ લીધો હતો. પૂર્વાચાર્યોએ તેમની બુદ્ધિબળે વિરાધના ન થાય ને આરાધના થાય તે માટે ચાતુર્માસમાં કોઈપણ ગિરિરાજ પર ન ચઢાય એવો ચોક્કસ નિર્ણય કર્યો છે. તેને યાત્રિકો પાળતા હતા ને પાળે છે.
વિનંતી- આપણે પણ જીવહિંસાથી બચવા :
જીવહિંસાથી બચવા દેરાસરો સાંજે સાત વાગે માંગલિક કરવા જોઈએ. ભાવના ભણાવવા ખુલ્લુ રાખવું પડે તો ફાનસમાં ઘીના દીવા રાખીને ભાવના ભણાવવી જોઈએ. બાકી ઝગમગાટ ઈલેકટ્રીક લાઈટોમાં ભાવના કે રાત્રીજગા ના ભણાવવા જોઈએ. પર્યુષણ મહાપર્વમાં તપશ્ચર્યા નિમિત્તે રાત્રીજગાને બદલે જીવહિંસાથી બચવા લાઈટ વીના રાત્રિ જાગરણ રાખવું જોઈએ .
પૂજ્ય આચાર્ય ભગવંતોએ દેરાસરમાં વીજળીના દીવા નહિ રાખવા જોઈએ તેવા અભિપ્રાયો આપેલાં છે.
શ્રી કુમારપાળ મહારાજા આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર શ્રી પદ્મનાભનાં (રાજા શ્રેણિકના) અગિયારમા ગણધર થઈ મોક્ષે જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org