________________
૩૨૪
(૫) શ્રી સગરામ સોનીની ટૂંક :
શ્રી મે૨કવશીની ટૂકમાંથી શ્રી સગરામ સોનીની ટૂકમાં જવાય છે. સગરામ સોની ગુજરાત દેશના વઢીયાર પ્રદેશના લોલાડા ગામના વતની . હતા. તેઓ પોરવાડ શ્રાવક હતા. સગરામ સોની પાટણમાં રહેતા હતા, અને અકબર બાદશાહના માનીતા હતા. અકબર બાદશાહ તેમને મામા કહીને બોલાવતા હતા. શ્રી ભગવતી સૂત્રનું વાંચન શ્રી સોમસુંદરસૂરિજી મહારાજ નાસે કરાવ્યું તેમાં તેમને, તેમના પત્નીએ તથા માતાજીએ ૬૩૦૦૦સોનામહોરો મૂકી હતી. તેમાં બીજી એક લાખ ૪૫ હજાર સોનામહોરો તેમણે તપાગચ્છાધિરાજ શ્રી સોમસુંદરસૂરિજી મહારાજના ઉપદેશથી જ્ઞાનખાતામાં વાપરીને સોનાની સહીથી શ્રી કલ્પસૂત્ર વગેરે પ્રતો લખાવીને મોટા મોટા જ્ઞાનભંડારોમાં મૂકી હતી. ૧૭ નવા જિનમંદિરો બંધાવ્યા હતા તથા ૫૧ મંદિરોનાં જીર્ણોદ્વાર કરાવ્યા હતાં. માંડવગઢમાં શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનો જિનપ્રાસાદ કરાવ્યો હતો. તથા મક્ષીજીમાં શ્રી મક્ષીજી પાર્શ્વનાથ ભગવાનનો પ્રાસાદ કરાવ્યો હતો. શ્રી ગિરનાર તીર્થ ઉપર શ્રી સગરામ સોનીની ટૂંક બનાવી હતી. સઘળા મંદિરોની પ્રતિષ્ઠા શ્રી સોમસુંદરસૂરિજી મહારાજે કરાવી હતી. આ ટૂંકમાં મૂળનાયક શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનની ભવ્ય મૂર્તિ છે. આ મંદિરમાં કુલ ૩૬ પ્રતિમાજીઓ તથા પાષાણની સુંદર ચોવીસી છે. મંદિરમાં કોતરણી જોવાલાયક છે.આ ટૂંક ગિરનાર તીર્થ ઉપર સૌથી ઊંચી દેખાય છે. (૬) શ્રી કુમાળપાળ મહારાજાની ટૂક :
૫રમાર્હત મહારાજા કુમારપાળે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહા૨ાજના સદુપદેશથી ૧૪૪૪ નવાં ભવ્ય જૈનમંદિરો બંધાવ્યા તથા ૧૬૦૦ જૈનમંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો. શ્રી ગિરનાર તીર્થ ઉપર આ મંદિર એમણે બંધાવ્યું હતું. આ મંદિરનો જીર્ણોદ્ધાર માંગરોલ નિવાસી શેઠ ધરમશી હેમચંદ્રે કરાવ્યો હતો. મૂળનાયક શ્રી અભિનંદનસ્વામી ભગવાનની ભવ્ય શ્યામવર્ણ મૂર્તિ છે.
૦ શ્રી કુમારપાળ મહારાજા :
જન્મ સંવતઃ ૧૧૪૯
રાજ્યાભિષેક : સંવત : ૧૧૯૯ માગશર વદ-૪ને રવિવાર પુષ્યનક્ષત્રમાં,
Jain Education International
શ્રી ગિરનાર તીર્થ
For Private & Personal Use Only
www.jainelibrary.org