________________
૩૨૨
શ્રી ગિરનાર તીર્થ
જૂનાગઢ : '
સ્ટેશનથી ઉપરકોટ ૧-૬ કિલોમીટર દૂર છે. ઉપરકોટ પાસે શેઠ હેમાભાઈની તથા બાબુની ધર્મશાળા છે. ભોજનશાળા તથા આયંબીલ ખાતાની વ્યવસ્થા છે. પાસે બે દેરાસરો છે.
(૧) શ્રી મહાવીર સ્વામી ભગવાનનું પ્રાચીન દેરાસર છે.
(૨) સંપ્રતિ મહારાજાના સમયના શ્રી નેમિનાથ ભગવાનનું દેરાસર છે.
૦ શ્રી ગિરનાર તીર્થ : તળેટી
જૂનાગઢ સ્ટેશનથી તળેટી ૬-૫ કિલોમીટર દૂર છે. તળેટીમાં સુરત નિવાસી શેઠ પ્રેમચંદ રાયચંદની તથા શ્રી કુલચંદભાઈની જૈન ધર્મશાળા, ભોજનશાળા તથા શ્રી આદીશ્વર ભગવાનનું દેરાસર છે, અહીં યાત્રાળુઓને ભાતુ અપાય છે. ગિરિરાજ ઉપર જવા ડોળીની વ્યવસ્થા છે. ગિરિરાજ ઉપર આવેલા મંદિરો :
તળેટીથી પહેલી ટૂકનું ચઢાણ ત્રણ કિલોમીટર છે. જ્યારે પગથિયાં ૪૨૦૦ છે. પહેલી ટૂક : (૧) શ્રી નેમિનાથ ભગવાનની ટૂંક :
ગિરિરાજ ઉપર પહોંચતાં પ્રથમ આ ટૂક આવે છે. દરવાજામાં પેસતા ધર્મશાળા, ઓફિસ આવે છે. પછી શ્રી નેમિનાથ ભગવાનની મુખ્ય ટૂક આવે છે. ૧૯૦૪૧૩૦ ફૂટ લાંબા-પહોળા ચોકની વચ્ચે દેરાસર રંગમંડપ ૪૧ ફૂટ પહોળો છે. ૪૪ ફૂટ લાંબો છે. દેરાસરમાં મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનની શ્યામવર્ણ, પદ્માસનસ્થ ૧૪૦ સે.મી.ની પ્રાચીન ભવ્ય પ્રતિમાજી છે. મંડપના અંદરના ભાગમાં (૧) શ્રી શાંતિસૂરિજી (૨) કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય (૩) શ્રી કુમારપાળ મહારાજાની મૂર્તિઓ છે. ગભારાની સામે ચોવીસ તીર્થકરોના કુલ ૧૪પર ગણધરનાં પગલાંની જોડ છે. ભમતીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org