SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ૧ ભારતના મુખ્ય જૈન તીર્થો પંદરમો ઉદ્ધાર : વિક્રમની નવમી સદીમાં કાન્યકુબ્બના (કનોજ) આમ રાજાએ ઉદ્ધાર કરાવ્યો હતો. સોળમો ઉદ્ધાર : સંવત : ૧૧૮૫ વિક્રમની બારમી સદીમાં ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહના સમયમાં શ્રી સજ્જનમંત્રીએ ઉદ્ધાર કરાવ્યો હતો. *સંવત : ૧૨૧૪ માં શ્રી બાહડમંત્રી શ્રી ગિરનારજીની યાત્રા કરવા આવ્યા ત્યારે પોતાના પિતા શ્રી ઉદયનમંત્રીએ કરેલી ભલામણ યાદ આવી. એટલે શ્રી અંબિકાદેવીની આરાધના કરી તેમણે સૂચવેલા માર્ગે શ્રી બાહડમંત્રીએ ૬૩ લાખ દ્રવ્ય ખર્ચાને પગથિયા નવા બંધાવ્યાં. * મહારાજા શ્રી કુમારપાળે પણ પગથિયા બંધાવ્યાનો ઉલ્લેખ મળે છે. * તેરમી સદીમાં શ્રી વસ્તુપાળ-તેજપાળે ઉદ્ધાર કરાવ્યો હતો. માંડલક નામના રાજાએ મંદિરને સોનાના પતરાંથી જડ્યું હતું. * ચૌદમી સદીમાં સોની સમરસિંહે ઉદ્ધાર કરાવ્યો હતો. *સત્તરમી સદીમાં શ્રી વર્ધમાન તથા શ્રી પદ્મસિંહનામના ભાઈઓએ ઉદ્ધાર કરાવ્યો હતો. * વીસમી સદીમાં શ્રી નરશી કેશવજીએ ઉદ્ધાર કરાવ્યો હતો. * આ સિવાય રાજા સંપ્રતિ, રાજા કુમારપાળ, મંત્રી સામંતસિંહ, સંગ્રામસોની વગેરે અનેક રાજાઓ, મંત્રીઓ તથા શ્રેષ્ઠિઓ દ્વારા અહીંયા ઉદ્ધાર કરાવ્યાનો તથા નવા મંદિર નિર્માણ કરાવ્યાનો ઉલ્લેખ મળે છે. * પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનના સમયથી ચરમ તીર્થકર શ્રી મહાવીરસ્વામી ભગવાનના સમય સુધીમાં અનેક ચક્રવર્તીઓ, રાજાઓ અને શ્રેષ્ઠિઓએ શ્રી રૈવતગિરિ યાત્રા કર્યાનો ઉલ્લેખ મળી આવે છે. પૂર્વકાળમાં અનેક તીર્થકરોના પદાર્પણ થયાં છે. તથા અનેક મુનિ ભગવંતો તપશ્ચર્યા કરીને મોક્ષે સિધાવ્યા છે. અનેક સંઘો અને યાત્રિકો યાત્રા કરવા પધાર્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy