________________
૩૧૮
શ્રી ગિરનાર તીર્થ
(
શ્રી ગિરનાર તીર્થના ઉદ્ધારો
)
• પહેલો ઉદ્ધાર :
પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનના પુત્ર શ્રી ભરત મહારાજા શ્રી ઋષભદેવ ભગવંતના મુખેથી શ્રી સિદ્ધગિરિજી, શ્રી રૈવતગિરિ, શ્રી અર્બુદાગિરિ, શ્રી રાજગૃહી, તથા શ્રી સમેતશિખરજી તીર્થનું માહાભ્ય સાંભળીને સંઘ સાથે તથા શ્રી નાભ ગણધર સાથે યાત્રાએ નીકળ્યા. ઇન્દ્ર મહારાજાની આજ્ઞાથી શ્રી સિદ્ધગિરિજી ઉપર ચારે દિશામાં એકવીસ એકવીસ મંડપવાળો, કુલ ચોર્યાસી મંડપવાળો તૈલોકયવિભ્રમ” નામનો સુંદર પ્રાસાદ કરાવ્યો અને ઋષભદેવ ભગવાનની ચતુર્મુખ રત્નમય મૂર્તિઓ સ્થાપન કરી, તથા બીજા પણ ત્રેવીસ તીર્થંકર ભગવાનના પ્રાસાદ બંધાવી દેહ અને વર્ણ પ્રમાણે ભગવાનની મૂર્તિઓ સ્થાપન કરી, શ્રી પુંડરિક સ્વામી તથા પૂર્વજોની મર્તિઓ બેસાડી અને શાસનદેવતાની રત્નમય મૂર્તિ બિરાજમાન કરી. શ્રી ગૌમુખ યક્ષ અને શ્રી ચક્રેશ્વરીદેવી શ્રી શત્રુંજ્ય તીર્થનું રક્ષણ કરનારા થયા. ત્યાંથી સંઘ કદંબગિરિ, હસ્તિગિરિ થઈ શ્રી રૈવતગિરિ (ગિરનાર) પધાર્યો.
આ ગિરિવર ઉપર બાવીસમાં તીર્થકર શ્રી નેમિનાથ ભગવાનના દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષ કલ્યાણકો થવાના છે તે જાણી ભરત મહારાજાએ ગિરનાર ઉપર ઊંચુ, ભવ્ય અને વિશાલ સ્ફટિક રત્નમય જિનાલય બંધાવ્યું. ચારે તરફ અગિયાર મંડપ, અનેક ઝરૂખા અને જાળીઓ વગેરેથી શોભાયમાન બનાવ્યું અને તેનું નામ સુરસુંદરપ્રાસાદ' આપ્યું. તેમાં નીલમણીમય શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ સ્થાપના કરી. અંજનવિધિ અને પ્રતિષ્ઠાવિધિ શ્રી નાભગણધર ભગવંત પાસે મહોત્સવ પૂર્વક કરાવી. બીજો ઉદ્ધાર : શ્રી દંડવીર્ય રાજાએ કરાવ્યો. ત્રીજો ઉદ્ધાર : બીજા દેવલોકના ઈન્દ્ર શ્રી ઈશાનઈન્ટે કરાવ્યો. ચોથો ઉદ્ધાર: ચોથા દેવલોકના ઈન્દ્ર શ્રી મહેન્દ્રએ કરાવ્યો. પાંચમો ઉદ્ધાર : પાંચમા દેવલોકના ઈન્દ્ર શ્રી બ્રબૅન્ટે કરાવ્યો. છઠ્ઠો ઉદ્ધાર : ભવનપતિકાયના ઈન્દોએ કરાવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org