________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
૩૧૯ સાતમો ઉદ્ધાર : શ્રી અજીતનાથ ભગવાનના સમયમાં શ્રી સગર ચક્રવર્તીએ
કરાવ્યો આઠમો ઉદ્ધાર : શ્રી અભિનંદન સ્વામીના સમયમાં વ્યંતર નિકાયના
ઈન્ટે કરાવ્યો. નવમો ઉદ્ધાર : શ્રી ચન્દ્રપ્રભસ્વામીના સમયમાં શ્રી ચંદ્રયશા રાજાએ
કરાવ્યો. દસમો ઉદ્ધાર : શ્રી શાંતિનાથ ભગવાનના સમયમાં શ્રી ચક્રધર
કરાવ્યો. અગિયારમો ઉદ્ધાર: શ્રી મુનિસુવ્રતસ્વામીના સમયમાં શ્રીરામચંદ્રજીએ કરાવ્યો. - શ્રી રામચંદ્રજી વનવાસ વેઠી રાવણને હરાવી અયોધ્યા પુનઃ પધાર્યા ત્યારે તેમના ભાઈ ભરત મહારાજાએ મોટા મહોત્સવ પૂર્વક શ્રી રામચંદ્રજી, શ્રી લક્ષ્મણજી, સીતાજી આદિનો પ્રવેશ મહોત્સવ કરાવ્યો. રાજ્ય શ્રી રામચંદ્રજીને સોંપી પોતે તેમની આજ્ઞાને અનુસરવા લાગ્યા. એકવાર દેવભૂષણમુનિ પાસે પોતાનો પૂર્વભવ સાંભળીને ભરતે દીક્ષા લીધી અને એક હજાર મુનિવરો સાથે શ્રી શત્રુંજ્યની યાત્રા કરી, અનશન કરી, સર્વ કર્મ ખપાવી, કેવળજ્ઞાન પામી, હજાર મુનિવરો સાથે મોક્ષે ગયા. શ્રી રામચંદ્રજી તથા શ્રી લક્ષ્મણજીએ શ્રી શત્રુંજ્યગિરિ તથા શ્રી રૈવતગિરિનો અગિયારમો ઉદ્ધાર કરાવ્યો. શ્રી રામચંદ્રજીએ સોળ હજાર રાજાઓ સાથે દીક્ષા લીધી, કોટીશિલા ઉપર કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારબાદ શ્રી સિદ્ધગિરિજી-શ્રી રૈવતગિરિજી આદિ સ્થળોએ વિહાર કરી પંદર હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મોક્ષે ગયા. રૈવતગિરિના બરટનામના શિખર ઉપર કૈકેયીરાણીએ શ્રી નેમિનાથ ભગવાનનું દેરાસર બંધાવ્યું હતું. બારમો ઉદ્ધાર :
| શ્રી નેમિનાથ ભગવાનના સમયમાં. એકવાર શ્રી નેમિનાથ ભગવાનનાં મુખેથી શ્રી શત્રુજ્ય તીર્થનો મહિમા સાંભળી પાંડવોને સિદ્ધગિરિજીની યાત્રા કરવાની ભાવના થઈ. પોડવોના પિતા પાંડુ જે દેવ થયા હતા તેમને પણ પાંડવોને સિદ્ધગિરિજીની યાત્રા કરવા પ્રેરણા આપી. પાંડવોએ શ્રી વરદત્ત ગણધર સાથે સંઘ કાઢયો. શ્રી કૃષ્ણ મહારાજા પણ યાદવો સાથે સંઘમાં જોડાયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org