________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
૩૧૭ સુદ-૮ની રાતના પૂર્વ ભાગમાં મોક્ષે ગયો. શ્રી નેમિનાથ ભગવાન ૩૦૦ વર્ષ કુમારપણામાં, ૫૪ દિવસ મુનિ પણે રહ્યાં અને ૭૦૦ વર્ષ કેવળપણે રહી નિર્વાણ પામ્યાં. ચોથી ટૂક ઉપર એક શ્યામશિલા ઉપર શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમાજી તથા બીજી શિલામાં પગલાં છે. આ ટ્રકને મોક્ષટૂક પણ કહેવામાં આવે છે.
પ્રાચીન જમાનામાં આ ગિરિરાજને ઉજ્જયંતગિરિ-રૈવતગિરિરૈવતાચલજી-સુવર્ણગિરિ-નંદભેદ્ર તથા શ્રી નેમિનાથ પર્વત આદિ નામથી ઓળખતા હતા. રૈવતાચલજીને શ્રી શંત્રુજ્ય ગિરિરાજની પાંચમી ટૂક પણ ગણવામાં આવે છે. શત્રુંજ્યની માફક આ તીર્થ પણ શાશ્વત છે. અનંતા અનંતા કાળથી વિદ્યમાન અને ભવિષ્યમાં પણ અનંતકાળ સુધી રહેવા વાળું તીર્થ છે. ગઈ ચોવીસીના આઠ તીર્થકરોની દીક્ષા, કેવળજ્ઞાન, મોલ એમ ત્રણ કલ્યાણકો અહી થયેલાં છે. અને આવતી ચોવીસીનાં પાનાભાદિ વગેરે ચોવીસ તીર્થકર ભગવંતો આ ગિરિવર ઉપર મોક્ષે જવાના છે એમ પંડિત શ્રી વીરવિજયકૃત દેવવંદનમાં કહ્યું છે.
શ્રીગિરનારતીર્થ ઉપર બિરાજમાનમૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ કરતાં પણ પ્રાચીન છે. ગઈ ચોવીસીના ત્રીજા તીર્થકર શ્રી સાગર નામના ભગવાને પાંચમા દેવલોકના ઈન્દ્રને કહ્યું કે"તમો આવતી ચોવીસીના બાવીસમાં તીર્થકર શ્રી નેમિનાથ ભગવાનના ગણધર બનીને મોક્ષે જશો' આથી પાંચમા દેવલોકના ઈન્દ્ર શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ બનાવી ભકિત કરવા લાગ્યા. તે મૂર્તિ ભગવાન શ્રી નેમિનાથનાં સમય સુધી ઈન્દ્રલોકમાં હતી. પછીથી શ્રીકૃષ્ણના ગૃહમંદિરમાં રહી હતી. જ્યારે દ્વારકા નગરી ભસ્મ થઈ ત્યારે શ્રી અંબિકાદેવીએ આ પ્રતિમાજીને તેમના વિમાનમાં રાખ્યા હતાં. પછીથી શ્રી રત્ના શાહની તપશ્ચર્યા અને ભકિતથી શ્રી અંબિકાદેવીએ પ્રસન્ન થઈ તેમને આપી હતી. આ મૂર્તિને કાશ્મીર દેશના શ્રાવક રત્ના શાહ તથા શ્રાવક અજીત શાહે વિ.સ. ૬૦૯માં શ્રી ગિરનાર પર્વત ઉપર લાવીને મંદિર બંધાવીને પ્રતિષ્ઠા કરાવી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org