SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતના મુખ્ય જૈન તીર્થો શ્રી ગિરનાર મહાતીર્થ બાવીસમાં તીર્થકર ની નેમિનાથ ભગવાનના દીયા વિજ્ઞાન તેવી ત્રણ કામની ભારે (૧) ચ્યવન કલ્યાણક (૨) જન્મ કલ્યાણક (૩) દીક્ષા કલ્યાણક - - આસો વદ-૧૨ શ્રાવણ સુદ -૫ શ્રાવક સુદ ૬. (૪) કેવળજ્ઞાન કલ્યાણક (૫) નિર્વાણ કલ્યાણક Jain Education International - ભાદરવા વદ અષાઢ સુદ - ૮. અમાસ. જૂનાગઢ અમદાવાદથી ૩૨૧ કિલોમીટર દૂર જૂનાગઢ છે. જૂનાગઢ રેલ્વે સ્ટેશનથી ગામ ધર્મશાળા ૧-૬ કિલોમીટર દૂર છે. જૂનાગઢ સ્ટેશનથી તળેટી ૬-૫ કિલોમીટર દૂર છે. સમુદ્રની સપાટીથી ગિરનાર તીર્થ ૯૪૫ મીટર ઊંચે છે. તળેટીથી પહેલી ટૂકનું ચઢાણ ત્રણ કિલોમીટર છે. જ્યારે પગથિયા ૪૨૦૦ છે. પહેલી ટૂકથી પાંચમી ટૂંક ૩-૨ કિલોમીટર દૂર છે. પહેલી ટૂકથી૨૦૦ પગથિયા ચઢવાથી રાજુલગુફા આવે છે. ગિરિરાજ ઉપર જવા માટે ડોળીની સગવડ છે. ૩૧૫ સૌ૨ીપુરમાં રાજા સમુદ્રવિજય રાજ્ય કરતા હતા. રાજા સમુદ્રવિજયના પટ્ટરાણી શિવદેવીએ આસો વદ-૧૨ની રાત્રિએ અંતિમ પ્રહરમાં તીર્થંકર જન્મસૂચક ચૌદ મહાસ્વપ્નોને જોયાં. એ જ વખતે શંખરાજાનો જીવ તેત્રીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી ચ્યવીને શીવાદેવીની કુક્ષિમાં પ્રવેશ્યો. આ શુભ અવસર પર ઈન્દ્રાદિ દેવો દ્વારા ચ્યવન કલ્યાણક દિવસ ધામધૂમથી ઉજવાયો. ક્રમ મુજર ગર્ભકાળના દિવસ પૂરા થતાં શ્રાવણ સુદ પાંચમના શુભ દિને ચિત્રા નક્ષત્રમાં શિવાદેવીએ શ્યામવર્ણ અને શંખ લક્ષણવાળા પુત્રરત્નને જન્મ આપ્યો. છપ્પન દિકુમારીઓ અને ઈન્દ્ર-ઈન્દ્રાણીઓ દ્વારા પ્રભુનો જન્મ કલ્યાણક ઉજવવામાં આવ્યો. રાજા સમુદ્રવિજયજીએ પણ પુત્ર જન્મની ખુશાલીમાં રાજ્ય દરબારમાં જન્મોત્સવનું આયોજન કર્યું., શિવાદેવીએ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy