________________
૩૧૪
કલકત્તા ગુજરાતી સમાજ : પી/પ, કેનીંગ સ્ટ્રીટ,
કલકત્તા
૭૦૦ ૦૦૧
હાવરા સ્ટેશનથી ૩ કિલોમીટર દૂર છે.
-
જોવાલાયક સ્થળો
(૧) હાવરાબ્રીજ (૨) વિકટોરિયા મેમોરિયલ (૩) મ્યૂઝિયમ (૪) બોટોનિકલ ગાર્ડન (૫) બેલુરમઠ (૬) દક્ષિણેશ્વર (૭) બીરલા ટેકનોલોજીકલ મ્યૂઝિયમ (૯) પ્રાણી સંગ્રહાલય (૧૦) કાલીમંદિર (૧૧) મદનમોહન મંદિર (૧૨) રાજા મલ્લિક પેલેસ (આરસમહેલ) (૧૩) સુરેખા પાર્ક (૧૪) રવિન્દ્ર સરોવર (૧૫) નહેરુ બાળસંગ્રહસ્થાન (૧૬) બિધાનશિશુ ઉદ્યાન (૧૭) જાદુઘર (૧૮) ફોર્ટ વિલિયમ,
શ્રી અષ્ટાપદ તીર્થ
શ્રી અષ્ટાપદ તીર્થ
પ્રેમ નોટ ની ગોદ ભગવાનની માયકલ તી ત
શ્રી ઋષભદેવ ભગવાન પોષ વદ-૧૩ ના દિવસે ૬ દિવસનું અનશન કરી દસ હજાર મુનિવરો સાથે અષ્ટાપદ તીર્થ ઉપર મોક્ષે ગયા. શ્રી ઋષભદેવ ભગવાનના પુત્ર શ્રી ભરત ચક્રવર્તીએ ભવ્ય રત્નપીઠ બંધાવી તેના ઉપર મનોરમ્ય સુવર્ણ મંદિર કરાવ્યું. તેમાં પ્રભુની મણિમય પ્રતિમા પધરાવી હતી. મંદિરનું 'સિંહનિષધા' નામ આપ્યું. એ સ્થળે ત્રણ સ્તૂપો રચાયા હતા. મંદિરની રક્ષા માટે મંદિરની આસપાસ ખાઈ ખોદી ગંગાનું વહેણ તેમાં વાળ્યું હતું.
Jain Education International
શ્રી જિનપ્રભસૂરિએ 'વિવિધતીર્થ કલ્પ’માં બતાવ્યું છે કે અયોધ્યાનગરીથી અષ્ટાપદ ૧૨ યોજન દૂર કૈલાસ નામે પર્વત છે તે જ અષ્ટાપદ છે. એ આઠ યોજન ઊંચો છે. તેનાં પથ્થરો શ્વેતવર્ણના છે, તેથી તે ધવલગિરિ' નામથી પણ ઓળખાય છે. ભગવાન મહાવીરે એક પર્ષદામાં જણાવેલું કે, જે માનવી લબ્ધિ વડે એ તીર્થની યાત્રા કરે તે એ જ ભવે મોક્ષ પામે છે. ગુરુ ગૌતમસ્વામીએ લબ્ધિ વડે શ્રી અષ્ટાપદ તીર્થની યાત્રા કરી હતી. શ્રી અષ્ટાપદ તીર્થ ઉપર રાવણ-મંદોદરીનાં ભકિત-સંગીત-નાટકનો ઉલ્લેખ પણ આવે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org