SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૩૧૩ (૧૦) બડા બજારમાં હેરિસન રોડ ઉપર બાબુ જીવણદાસ પ્રતાપચંદ ઝવેરીનું શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર છે જે ત્રીજે માળે છે. (૧૧) બરતોલા સ્ટ્રીટમાં શેઠ હીરાલાલ પન્નાલાલના મકાનમાં શ્રી કેશરિયાજી ભગવાનનું ઘર-દેરાસર છે. (૧૨) શીખહરપાડામાં શેઠ હીરાલાલ મુકીમના મકાનમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ઘર-દેરાસર છે. (૧૩) મુર્ગીeટમાં ટાવર સામે શ્રી માધવલાલ બાબુનું શ્રી સંભવનાથ ભગવાનનું ઘર-દેરાસર છે. (૧૪) ભવાનીપુરમાં શિખરબંધી ભવ્ય દેરાસર છે. (૧૫) કલકત્તામાં બેલગછિયામાં દિગંબરોનું શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ભવ્ય વિશાલ મંદિર આવેલું છે, જે દર્શનીય છે. • ભવ્ય વરઘોડો : | દર વર્ષે કારતક સુદ પૂનમે તુલાપટ્ટીને મોટા મંદિરેથી ભવ્ય વરઘોડો નીકળે છે, જે માણે કતલ્લામાં શામબજારમાં દેરાસરમાં ઉતરે છે. આ વરઘોડો ભારતમાં સર્વોત્તમ માનવામાં આવે છે. આવો ભવ્ય અને વિશાલ વરઘોડો ભારતમાં બીજી કોઈ જગ્યાએ નીકળતો નથી. સરકાર તરફથી પણ બધી સુવિધાઓ આપવામાં આવે છે. શામબજારમાં મંદિરની સામે આવેલ દાદાવાડીમાં સ્વામિવાત્સલ્યનું આયોજન કરવામાં આવે છે, શ્રી સમેતશિખરજીની યાત્રાએ જતાં સંઘો આસો વદ-અમાસ પાવાપુરીમાં અને કારતક સુદ-પૂનમ કલકત્તામાં રોકાવવાનું આયોજન કરે છે. કલકત્તાનો કારતક સુદ – પૂનમનો વરઘોડો જોવો તે એક જીવનનો લ્હાવો છે.. ૦ ધર્મશાળાઓ : (૧) કેનીગ સ્ટ્રીટ નં. ૯૬માં દેરાસર પાસે. (૨) બડાબજારમાં શામબાઈ લેન નં. ૩માં શેઠ ફુલચંદ મુકીમની. (૩) અપર સરકયુલર રોડ ઉપર - શેઠ ધનસુખલાલ જેઠમલની (૪) રાય બદ્રીદાસ રોડ નં. ૪૪ ઉપર દાદાવાડીમાં ધર્મશાળા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy