________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
૩૧૧
દેરાસર છે. (૯) રાજવાડીમાં શ્રી મહાવીર સ્વામી ભગવાનનું ઘર-દેરાસ૨ છે. (૧૦) સ્ટેશન સામે શ્રી શાંતિનાથ ભગવાનનું શિખરબંધી દેરાસર છે. જેમાં ૨ - તારામંડલ, ૧૧ - સ્ફટિકની, ૧ - પાનાની, ૪ - સંગઇસપની, બ્લ્યુફુલ મળીને-૨૦ કીંમતી પ્રતિમાજીઓ છે.
૨
–
કલકત્તા
અમદાવાદથી દિલ્હી ૧૦૭૬ કિલોમીટર દૂર છે. જ્યારે દિલ્હીથી કલકત્તા ૧૪૭૪ કિલોમીટર દૂર છે. કલકત્તા દુનિયાના મોટા શહેરોમાંનું એક છે. ભારતમાં સૌથી મોટી વસ્તીવાળું મોટું શહેર છે. ઇ.સ. ૧૯૧૧ સુધીબ્રિટિશ સરકારના સમયમાં ભારતનું પાટનગર હતું અત્યારે પશ્ચિમબંગાળ નું પાટનગર છે.
જૈન મંદિરો -
(૧) તુલાપટીમાં :- મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનનું ભવ્ય જિનાલય છે. ઉપર દેરાસરમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન તથા ચૌમુખજી છે.
(૨) ઇન્ડિયન મિ૨૨ સ્ટ્રીટ ધર્મતલ્લા નં. ૪૮માં કુમાર હોલમાં બાબુ સીતાપચંદજીએ બંધાવેલ ઘર દેરાસર છે. જેમાં શ્રી શાંતિનાથ ભગવાન તથા શ્રી આદીશ્વર ભગવાનની રત્નની પ્રતિમાઓ છે. નીચેના ભાગમાં પ્રાચીન ગ્રંથોનો સંગ્રહ છે.
(૩) કેનીંગસ્ટ્રીટ નં. ૯૬માં શિખરબંધી દેરાસર છે. જેમાં શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org