________________
૩૦૮
શ્રી મિથિલા તીર્થ
શ્રી મિથિલા તીર્થ (બિહાર)
:
સીકોતર
૧૯મા તીર્થંકર શ્રી મલ્લિનાથ ભગવાન તથા ૨૧મા તીર્થંકર શ્રી નમિનાથ ભગવાનનાં ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન ચાર-ચાર કલ્યાણકોની આ પવિત્ર ભૂમિ છે.
વિદેહદેશની રાજધાનીનું નગર મિથિલા હતું. 'રામાયણ'માં મિથિલાને જનકપુરી કહેવામાં આવી છે. જનકરાજની પુત્રી મહાસતી સીતાની આ જન્મભૂમિ હતી. - ભગવાન મહાવીરે અહીં છ ચાતુર્માસ કર્યા હતા. મિથિલા વિરાટ નગરી હતી. જૈનોની પુષ્કળ વસ્તી હતી. અનેક જૈન મંદિરો તથા ઉપાશ્રય હતા. બિહારમાં આવેલ સીતામઢી કે તેની પાસે આવેલ કોઈ ગામ પ્રાચીન મિથિલા નગરી હશે તેમ અનુમાન કરવામાં આવે છે. સીતામઢીથી શ્રી મલ્લિનાથ ભગવાન અને શ્રી નમિનાથ ભગવાની ચરણ પાદુકાઓ ભાગલપુર સ્ટેશનની સામે આવેલ દેરાસરમાં પધરાવવામાં આવેલ છે. આ તીર્થના અસલ સ્થળનું સંશોધન કરી જીર્ણોદ્ધાર કરવાની જરૂર છે.
. શ્રી જિયાગંજ તીર્થ (બાલુયર)
બંગાળની પંચતીર્થીનું આ એક તીર્થસ્થાન છે. કલકત્તાના સીયાલ્ડા સ્ટેશનથી ટ્રેઈનમાં જવાય છે. ભારતની હદ જીયાગંજ સ્ટેશને પુરી થાય છે. પછી બંગલાદેશની હદ આવે છે. ગંગા નદીના કિનારે આ તીર્થ આવેલું છે. અજીમગંજથી હોડીમાં પણ અવાય છે. સ્ટેશનથી ગામ ર કિલોમીટર દૂર છે.
અત્રે (૧) શ્રી સંભવનાથ ભગવાનનું દેરાસર (૨) શ્રી વિમલનાથ ભગવાનનું દેરાસર (૩) શ્રી આદીશ્વર ભગવાનનું દેરાસર (૪) શ્રી કેસરિયાજી ભગવાનનું ઘર-દેરાસર જે રાય ધનપતસિંહજીએ બંધાવેલું છે.
અત્રે શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનના દેરાસરમાં હાથથી દોરેલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org