________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
૩૦૭
શ્રીપાળરાજાએ પૂર્વભવમાં મુનિભગવંતનું અપમાન કર્યું હતું. જે કર્મ શ્રીપાળના ભવમાં ઉદયમાં આવ્યું.
જૈનશાસનમાં નવપદજીનો મહિમા અપરંપાર છે. એ સર્વમંગલકારી છે, અને આત્માને ક્રમે ક્રમે ઊંચે ઊંચે લઈ જઈને સર્વોચ્ચસ્થાને બિરાજમાન કરવાની અદ્ભૂત શકિત એમાં રહેલી છે. જેવી નિર્મળ એની આરાધના, એવું એનું ઉત્તમ ફળ, નવપદની આરાધનાના પ્રતાપે શ્રીપાળમહારાજાનો કોઢ દૂર થયો. જૂદા પડેલા સગાંઓનો મેળાપ થયો. શ્રીપાળરાજાની મયણાં વગેરે નવ રાણીઓ તથા શ્રીપાળ રાજાનાં માતાજી મૃત્યુ પામી નવમાં દેવલોકમાં ગયાં, જ્યારે શ્રીપાળરાજા નવમાં ભવે મોક્ષે જશે.
ચંપાપુરીમાં ભવ્ય દેરાસર છે. જેમાં મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનની પદ્માસનસ્થ શ્વેત ૪૫ સે.મી.ની મૂર્તિ છે. તથા દેરાસ૨ની સાથે શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનના પાંચે કલ્યાણકોના મંદિરો આવેલાં છે. દેરાસરના ઉપરના ભાગમાં શ્રીપાળ-મયણાંના જીવનના પ્રસંગો સુંદર રીતે ચીતરેલાં છે. બાજુમાં ધર્મશાળા-ભોજનશાળા છે. ભાગલપુર સ્ટેશને ઉતરીને ચંપાપુરી જઈ શકાય છે. ચંપાપુરી છ કિલોમીટર દૂર છે. અહીં ભાગલપુરી રેશમી શાલો સારી મળે છે. રેશમી શાલોનાં કારખાનાં છે.
નાથનગર : ભાગલપુર સ્ટેશનેથી ચંપાપુરી જતાં વચ્ચે નાથનગર આવે છે, જેમાં શ્રી સુપજરાય બાબુનું મીનાકારીવાળું મંદિર છે. જેમાં મૂળનાયક શ્રી વાસુપૂજ્યસ્વામી ભગવાનની મૂર્તિ છે.
ભાગલપુર : પટણાથી કલકત્તા જતી રેલ્વે લાઈન પર આવે છે. સ્ટેશન સામે રા. બ. ધનપતસિંહજીએ બંધાવેલી ધર્મશાળા છે, તથા બાજુમાં જ દેરાસર છે, જેમાં મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનની મૂર્તિ છે તથા શ્રી મલ્લિનાથ ભગવાન તથા શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિઓ છે તથા શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન, શ્રી મલ્લિનાથ ભગવાન તથા શ્રી મિનાથ ભગવાનની ચરણપાદુકાઓ છે. શ્રી સ્થૂલિભદ્ર મુનિની પાદુકા છે. મલ્લિનાથ ભગવાન તથા શ્રી નમિનાથ ભગવાનની ચરણપાદુકાઓ શ્રી મિથિલા તીર્થમાંથી લાવીને અત્રે પધરાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org