________________
૩૦૨
શ્રી ક્ષત્રિયકુંડ તીર્થ ૧૩ ચોથા મહેન્દ્ર
દેવલોકમાં દેવ
Aહ (દેવલોકમાં દેવ) ર૭ વર્ધમાન-મહાવીર
વીર ૧૪ સ્થાવર બ્રાહ્મણ
(અન્તિમભવ) આજથી ૨૫૯૪ વર્ષ પૂર્વે વર્તમાન ચોવીસીના ચોવીસમાં અને છેલ્લા તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીર પોતાના મુખ્ય ૨૬ભવો પૂરા કરી અષાઢ સુદ-૬ના દિવસે ત્રિશલારાણીની કુલિમાં ગર્ભરૂપે જન્મ લેવા અવતરી રહ્યાં છે. મહારાણી ત્રિશલાદેવી મધ્યરાત્રીએ ૧૪મહાસ્વપનોને જુએ છે. સ્વપ્નલક્ષણ પાઠકો ચૌદસ્વપ્નોનું ફળ જણાવતાં કહે છે કે તમે મહાન પુત્ર રત્નને જન્મ આપશો કે જે સર્વગુણો અને લક્ષણોથી સંપન્ન, સવાંગસુંદર, મહાજ્ઞાની અને વીર હશે, અને ભવિષ્યમાં તે તીર્થંકર પદને મેળવશે. ચ્યવન કલ્યાણક -
વિ.સ. પૂર્વ-પ૪૪ ઈ પૂર્વે - ૬૦૦ વર્ષ અષાઢ સુદ-૬ જન્મ કલ્યાણક -
ક્ષત્રિયકુંડની પવિત્રભૂમિ ઉપર માતાની કુલિમાં નવમાસ અને સાડા સાત દિવસ રહ્યા બાદ ચૈત્ર સુદ-૧૩ સોમવારના શુભ દિવસે મધ્યરાત્રિએ પ્રભુનો જન્મ થયો. ૫૬ દિકુમારિકાઓએ આવીને ભગવંતને સ્નાન, વિલેપન, વસ્ત્રાલંકાર દ્વારા ભકિત કરી, ભગવાનનાં ગુણગાન કરી વિદાય લીધી. સૌધર્મ દેવલોકના શુક્ર ઈન્દ્ર ભગવંતને પોતાના પાંચ રૂપો કરી મેરૂશિખર ઉપર લઈ જાય છે. ત્યાં પોતાના ખોળામાં બેસાડીને અભિષેક આદિથી ભકિત કરે છે.
વિ.સં. પૂર્વે - ૫૪૩ વર્ષ, ચૈત્ર સુદ : ૧૩, સોમવાર, ૩૦ માર્ચ ઈ.સ. પૂર્વે પ૯૯ વર્ષ દીક્ષા કલ્યાણક -
માતા ત્રિશલાની કુખે પ્રભુનો જીવ પ્રવેશ્યા પછી, સમસ્ત ક્ષત્રિયકુંડ રાજ્યમાં ધનધાન્ય આદિની વૃદ્ધિ થઈ અને ચારે તરફ રાજ્યમાં સુખ-શાંતિ વધવા લાગ્યાં. જેથી જન્મના બારમા દિવસે પ્રભુનું નામ વર્ધમાન રાખવામાં આવ્યું. શ્રી વર્ધમાન નાનપણથી જ વીર અને નીડર હતા. વિદ્યામાં નિપુણ અને જ્ઞાનવાન હતા. પ્રભુની ઇચ્છા લગ્ન કરવાની ન હોવા છતાં, માતા-પિતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org