________________
૧૪
ભારતનાં મુખ્ય જૈન તીર્થો આત્મશ્રેયાર્થે જવાની અનુજ્ઞા આપી. સુંદરી પણ સંસારનો ત્યાગ કરી પ્રભુના શાસનમાં ભળી ગયા.
28ષભદેવના સ્વ પરિવારમાં શેષ રહેલા ભરત ચક્રવર્તીએ પોતાના પદને યોગ્ય અત્યંત વત્સલ ભાવે પ્રજા પર શાસન કર્યું. રાજ્યને સર્વ પ્રકારે સમૃદ્ધ કર્યું, છતાં ચિત્તમાં એક વિચાર આવ્યા જ કરતો હતો નવ્વાણું ભાઈઓએ આત્મહિત સાધ્યું. અરે ! મારા યુવાન પુત્રો અને પુત્રીઓ પણ પરમાર્થ પંથે પડયા અને હું હજી આ રાજવૈભવથી ધરાયો છું?
જ્યારે બાહુબલિ વિચારે છે, જે માન ! તને પણ આ જ સમયે અવકાશ મળ્યો. સમરાંગણમાં ઉપાડેલી મુષ્ટિ નિરર્થક ન જાય તે માટે લોન્ચ કર્યો એ અંતરમાં છુપાયેલા માને વળી માથું ઊંચકર્યું કે અરે ! કેવળજ્ઞાન પામ્યા પહેલા પ્રભુ પાસે પહોંચીશ તો મારે નાના ભાઈઓને નમવું પડશે માટે કેવળજ્ઞાન પામ્યા પછી જવું, જેથી નમવું ન પડે.
પછી તો કેવળજ્ઞાનની ઉપલબ્ધિ માટે બાહુબલિ એક વરસ આહાર - પાણીનો ત્યાગ કરી વૃક્ષની નીચે તપ તપ્યા. શરીરે વેલડીઓ વીંટળાઈ, પણ કેવળ જ્ઞાન ફરકયું જ નથી. માન અને જ્ઞાન બે એકસાથે ટકતાં નથી. માને જ્ઞાન ગળી જાય, અને જ્ઞાને માન ગળી જાય.
મરદેવા માતા હાથીની અંબાડી પર હતા પણ મોહનીયકર્મને ખપાવી દીધું, બાહુબલિ વૃક્ષ નીચે હાથી રહિત પણ માનરૂપી ગજ ઉપર હતા. મોહનીય કર્મે ઘેરી લીધા. એક વર્ષના વહાણા વાયા.
યોગાનુયોગ બ્રાહ્મી – સુંદરી બન્ને સાધ્વીઓનું પ્રભુ આજ્ઞાથી આગમન થયું. ભાઈના મનોગત ભાવો તેમણે જાણી લીધા અને બન્નેના મુખમાંથી સહજ પંકિતઓ સરી પડી :
વીરા મોરા ગજ થકી ઉતરો'
'ગજ ચઢે કેવળ ન હોય રે બાહુબલિના શ્રવણે શબ્દો પડ્યા અને તંતુ સંધાઈ ગયો. અહો ! રાજપાટ છોડ્યા અને આ માનરૂપી ગજ પર આરૂઢ થઈ ગયો ? એ વિચારધારાએ માન ગળી ગયું અને ભાઈઓને વંદન કરવાનો અહોભાવ પેદા થતાં પગ ઉપાડયાં. મુનિવરોને મનોમન વંદન કર્યું. માનનો અવરોધ શેષ રહેલો ગળી ગયો અને કેવળ જ્ઞાન પ્રગટ થયું. તેઓ પ્રભુના દરબારમાં પહોંચી ગયા.
તે કાળે તે સમયને વિષે ઋષભદેવ પ્રભુ વીસ લાખ પૂર્વ સુધી કુમાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org