SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન શ્રી ક્ષભદેવ ૧૩ આયુધશાળામાં પ્રવેશતું નથી. આથી ભારત અને બાહુબલિનું યુદ્ધ અનિવાર્ય બન્યું. મોહનીય કર્મની વિચિત્રતા કેવી? બાહુબલિ બાહુના સામર્થ્યથી બાહુબલિ કહેવાતા હતા. તે ભરતની આજ્ઞા કેવી રીતે સ્વીકારે ? ભરતરાજા પણ ચક્રવર્તી પદના મદમાં હતા. બન્ને બંધુઓનું બાર વર્ષ મહાયુદ્ધ ચાલ્યું. છેવટે ઈન્દ્રરાજ વચમાં આવ્યા અને સમજાવ્યા કે તમે બન્ને જ લડીને હાર જીતનો નિર્ણય કરો. આ બન્ને બળિયા બાથ ભીડીને લડ્યા. મુષ્ટિયુદ્ધ, દષ્ટિયુદ્ધ, ગદાયુદ્ધ થયા. બધામાં ભરતરાજા હાર પામતા હતા. આખરે ભ્રાતૃધર્મ ચૂકીને સ્વ બંધુનો શિરચ્છેદ કરવા અતિ કોપાયમાન થઈને તેમણે ચક્રરત્ન ધૂમાવીને ફેંકયું. પરંતુ સમાન ગોત્ર પર ચક્રરત્ન ચાલતું ન હોવાથી તે પાછું ફર્યું. આવી અનીતિથી બાહુબલિનો કોપ આસમાને પહોંચ્યો. ભરતને હણવા તેમણે મુષ્ટિ ઉપાડી, ત્યાં તેમને અંતરધ્વનિ સંભળાયો: મોટાભાઈનો વધ શા માટે? તેમ કરીને શું મેળવશો?' પણ ઉપાડેલી મુષ્ટિ હવે પાછી ન વળે, તો શું કરવું? પૂર્વ સંસ્કાર બળે તેમનામાં એક ઝબકારો થયો અને જાણે આશ્ચર્યની હદ આવી. બાહુબલિએ એ જ મુષ્ટિ વડે લોચ કર્યો, વસ્ત્રાલંકાર ત્યજી સ્વયં દીક્ષિત થયા. ભરતે આ જોયું અને ખેદખિન્ન થઈ ગયા. અરે ! આ રાજ્ય પ્રવર્તનના મોહમાં ૯૮ અનુજને ગુમાવ્યા અને આ બાહુબલિ પણ મને છોડી જશે? ભરત અત્યંત શાંત થઈને બાહુબલિને નમી પડવા. 'ભાઈ ! તું મને છોડીને જતો નહિં. તું એક જ ભ્રાતા રહયો છે. મારે તારું રાજ્ય જોઈતું નથી. બાહુબલિએ ક્ષમાભાવ ધારણ કરી, ભરત રાજાને આશ્વાસન આપી વન વાટે પ્રયાણ કર્યું. ઇન્દ્રાદિ દ્વારા ચક્રવર્તી પદની પ્રતિષ્ઠા પામી, ભરત રાજ્યમાં પધાર્યા. મહાન વિજયોત્સવ થયો. ત્યાર પછી સ્ત્રી-રત્નને સ્થાપિત કરવા તે અત્યંત પ્રસન્નતાપૂર્વક સુંદરીને મહેલે પધાર્યા, પણ આ શું ! આ મહેલ છે કે સ્મશાન, સુંદરીના આવાસ તરફ વળ્યા. અરે ! આ શું જોઉં છું. આવાસના શણગાર કેમ નષ્ટ થઈ ગયા છે? અને જ્યારે સુંદરીની નજીક પહોંચ્યા ત્યારે તો ક્ષોભ પામી ઊભા રહી ગયા. આ સુંદરી છે કે સુંદરીનું પ્રેત છે? પરિચારિકાને પૂછ્યું તમે સુંદરીની સંભાળ રાખી શકયા નથી નિકટની પરિચારિકાએ કહ્યું "મહારાજ ઋષભદેવના સમવસરણમાંથી પાછા આવીને તમે પૃથ્વી જીતવા નીકળ્યા, સુંદરીએ વિષય કષાયોને જીતવા ઉત્કૃષ્ટ તપ આદર્યું છે. મહેલમાં છતાં વનમાં વસ્યા છે. ભરત મહારાજા ખેદખિન્ન થયા. પરંતુ તેમણે વિચાર્યું કે મોહઘેલા મેં સુંદરીને ધર્મમાર્ગે જતાં રોકીને ભૂલ કરી છે. તેમણે સુંદરીની ક્ષમા માંગી અને તેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy