________________
૧૨
ભારતનાં મુખ્ય જૈન તીર્થો જ્ઞાન પામ્યા હતા. તેમને ઋષભને ચર્મચક્ષુથી જોવાની હવે કયાં જરૂર હતી ! પુત્રના સમોવડિયા માતાએ કેવળજ્ઞાન પછીનું અંતિમકાર્ય પણ નિપટી લીધું. માતા નિર્વાણ પામ્યા. ભરતે હસ્તી પાછો વાળી તેમની અંતિમ ક્રિયા કરી.
સમવસરણમાં ઋષભદેવ ત્રણ ભુવનના સ્વામી કેવળજ્ઞાનની ભવ્યતાથી પ્રકાશતા હતા. ચારે બાજુ અભેદપણે રાય-રંક, પશુ-માનવ, દેવ-દાનવ, સંસારી-સાધક સૌ કોઈ ગોઠવાઈ ગયા હતા. પ્રભુએ બોધનો ધોધ પ્રગટ કરી દીધોઃ 'હે ભવ્ય જીવો ! તમે સુખેથી જીવન જીવો અને અન્યને જીવવા દો. નિર્મળ પ્રેમભર્યુ સર્જન કરજો. કર્મનું સામ્રાજ્ય સર્વત્ર પ્રવર્તે છે. તમે જેવું કરશો તેવું પામશો. માટે જ્યાં સુધી આત્મા કર્મથી મુકત ન થાય ત્યાં સુધી પરોપકારાદિ કરતા રહેજો. સંયમનું પાલન કરજો અને શુદ્ધ આચાર પાળજો !'
ત્યારપછી ભરતરાજાએ આયુધશાળામાં જઈ ચક્રરત્નની પૂજા કરી, તેની સાથે તેમની સેવામાં દેવો પણ ઉપસ્થિત હતા. ભરતની ભાવના હતી કે છ ખંડ પૃથ્વી ૫૨ પોતાનું આધિપત્ય સ્થાપીને, સૌને સંગઠિત કરી, પ્રજાનો અને રાજ્યનો યોગ્ય વિકાસ કરવો. તેઓ છ ખંડને જીતવા નીકળ્યા. મહદ્ અંશે તેઓ વિના સંહારે કાર્ય સિદ્ધ કરવાની ભાવના રાખતા.
મહદ્અંશે છખંડનું આધિપત્ય સ્થપાઈ ગયું. પરંતુ પોતાના નવ્વાણું અનુજ બંધુઓ કે જેમણે પિતાએ રાજ્ય સુપ્રત કર્યા હતા. ચક્રરત્નનો નિયમ હોય છે કે સર્વત્ર આધિપત્ય સ્થપાય પછી આયુધશાળામાં પ્રવેશ કરે. મહામંત્રીની સલાહથી ભરતરાજાએ નવ્વાણું ભાઈઓને પોતાની આજ્ઞામાં રહેવાનો આદેશ મોકલ્યો, અઠ્ઠાણું અનુજ બંધુઓએ વિચાર કર્યો કે આપણે આનો ઉકેલ પિતાજી પાસે જઈને કરીએ.
ભગવાન પાસે જઈને તેમણે નિવેદન કર્યું. ભગવાને તેમને પ્રથમ આ જગતની ક્ષણિકતાનો ઉપદેશ આપ્યો. પછી પૂછ્યું 'તમારે કેવું રાજ્ય જોઈએ છે?’ જો શાશ્વત સુખ જોઈએ તો સંસારનો ત્યાગ કરો ! સરળ ચિત્તવાળા ભાઈઓ બોધ પામ્યા અને તેમણે સંસારનો ત્યાગ કરી પ્રભુના ચરણનો સ્વીકાર કર્યો, દીક્ષિત થયા. આ સમાચાર મળતાં જ ભરતરાજા દોડી આવ્યા અને અઠ્ઠાણું ભાઈઓને નમી પડયા. અશ્રુભીના નયને બોલ્યા કે તમે રાજ્ય પાછું લો પણ મારો ત્યાગ ન કરો. ભાઈઓએ વડીલબંધુને શાંત કર્યા અને અનુક્રમે તેઓ કેવલ્ય પામ્યા.
હજી બાહુબલિએ ભરતરાજાની આજ્ઞા સ્વીકારી ન હતી. અને ભરત રાજાને બાહુબલિ માટે આદર હતો કે ભલે તે સ્વતંત્ર રહે. પણ અરે ! ચક્રરત્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org