SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન શ્રી ઋષભદેવ ૧૧ ઋષભદેવે સંસારનો ત્યાગ કર્યો, ત્યારે રાજ પરિવારમાં શું બન્યું? માતા મરુદેવાની દશા તો કરુણાજનક હતી. પાંપણના પાણી પણ સૂકાવા માંડ્યા હતા. તેઓ સતત ચિંતિત રહેતા કે ઋષભ ખુલ્લા પગે કેમ ફરતો હશે? નિદ્રા કયા લેતો હશે? તેની સૂકી લટમાં તેલ કોણ સિંચતું હશે? વન્ય પશુઓથી શસ્ત્ર વગર રક્ષણ કેમ કરતો હશે? હે ભરત! તું તો ષસભોજન જમે છે અને મારો પુત્ર આહાર પામતો નથી. હે દેવ ! તોય મારા પ્રાણ કેમ ટકયા છે ! રાણી સુમંગલાની દશા તો અત્યંત દયનીય હતી. યુગલનો વિયોગ જાણ્યો ન હતો, કહ્યો ન હતો. બ્રાહ્મી સુંદરીની નિરંતર સેવા તેમને શાંતિ કેવી રીતે આપે? ચિત્તમાં એક ઋષભનું રટણ હતું. એ દર્દનું ઔષધ કયાંથી મળે? અને એક દિવસ એમણે પણ સદાને માટે આંખો ઢાળી દીધી. એક દિવસ કોઈ પ્રવાસી ઋષભદેવના પારણાના સમાચાર લાવ્યો. માતાએ તેની પાસેથી પુનઃ પુનઃ ત્રઋષભની વાતો સાંભળી. ત્યાં તો પ્રતિહારી હાજર થયો અને સમાચાર આપ્યા કે ઋષભદેવ પધાર્યા છે. જંગલ તો મંગલમય બન્યું છે. તેમણે પૂર્ણજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. સ્વર્ગલોકના દેવો તેમની સેવામાં હાજર થયા છે. સોનાના સિંહાસન પર તેઓ બિરાજ્યા છે. ભરતરાજા પાસે જે સમયે પ્રભુના કેવળજ્ઞાનના શુભ સમાચાર આવ્યા તે જ સમયે આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયાના સમાચાર આવ્યા. પ્રથમ સમાચાર ધર્મ પ્રાપ્તિના હતા. બીજા સમાચાર ચક્રવર્તીપદની પ્રાપ્તિને સૂચક હતા. ભરતરાજા પ્રજ્ઞાવંત હતા, ધર્મના ઉપાસક હતા. તેમણે વિચાર્યું ચક્રવર્તીપદ તો આ જન્મ પૂરતું છે, પણ ધર્મપ્રાપ્તિ તો જન્મ મરણથી મુકત કરવા માટે છે. તેઓએ બન્ને સંદેશાવાહકને ભેટ આપી વિદાય કર્યા અને પ્રભુને વંદન કરવા પરિવાર સાથે નીકળ્યા. તેમણે મરદેવા માતાને હાથીની અંબાડી પર બેસાડ્યા. માતાએ કહ્યું, 'બેટા, ઋષભને જોવાની આંખ કયાં છે? તને ઋષભ દેખાય કે તરતજ મને કહેજે, પણ આ કોલાહલ શાનો છે? મા! આ કોલાહલ તમારા પુત્રના વૈભવનો છે. દેવો વિમાનમાં બેસીને તેમની સેવામાં ધસી રહ્યા છે. ચારેય બાજુ માનવ મહેરામણ ઉમટયો છે.” માતાનો શોક શમી ગયો. અંતરની ઊર્મિઓ અદમ્યપણે જાગી ઊઠી, નિર્મળ થઈ અને મા બોલી ઊઠયા ભરત! જો પેલો ઋષભ દેખાય ! વાસ્તવમાં માતા ઋષભના ધ્યાનમાંથી શુકલધ્યાનમાં આરૂઢ થઈ કેવળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy