________________
૧૦
ભારતનાં મુખ્ય જૈન તીર્થો તે રાત્રિએ બાહુબલિના પુત્ર શ્રેયાંસે સ્વપનમાં જોયું હતું કે પોતે ડોલતા સુવર્ણમય ડુંગરનો અભિષેક કર્યો અને અને સુબુદ્ધિ નગરશેઠે સ્વપ્નમાં સહસ્ત્રકિરણે સૂર્ય પ્રકાશતો હતો તે ઝાંખો પડયો, તેને શ્રેયાંસે પુનઃસ્થાપન કર્યો તેવું જોયું. નગરના રાજાએ શ્રેયાંસની મદદથી શત્રુઓનો પરાભવ કર્યો, તેવું સ્વપ્ન જોયું. ત્રણે ભેગા થયા પણ સ્વપ્નનો મર્મ સમજી શકયા નહિ. છેવટે સ્વખપાઠકે કહ્યું કે, રાજ્યમાં ઉત્તમ કાર્ય થશે.
તે સમયે સમાચાર મળ્યા કે ઋષભદેવ પધાર્યા છે. શ્રેયાંસે પ્રભુને આવતા જોયાં અને આનંદની ઊર્મિઓ ઊઠતાં તેમનામાં જાતિસ્મરણ જ્ઞાન પ્રગટયું, તે ભિક્ષાનો મર્મ સમજી ગયા. સૌએ પ્રભુનું અત્યંત બહુમાન કર્યું. તે જ સમયે સૌના પૂણ્યયોગે નિર્દોષ ઈક્ષ (શેરડ) રસના ઘડાનો યોગ બની ગયો. એક વરસ પછી પ્રભુએ સીધા રહેલા હસ્ત કમળને ઉપર ઉઠાવ્યા. અંજલિ પ્રસારી અને શ્રેયાંસ ઘડા ઠાલવતો જ રહ્યો. એક વરસના અંતે પ્રભુ ઈશુરસથી તુપ્ત થયા અને પ્રભુના દર્શન રૂપી અમૃતથી સર્વ જનતા તૃપ્ત થઈ. દેવોએ પંચદિવ્ય પ્રગટ કર્યા. તે દિવસ વૈશાખ સુદ ત્રીજ હતી. તે અક્ષય તૃતીયાનું નામ પામી. દેવો, માનવો, સૌ હર્ષોલ્લાસમાં નાચી ઊઠયા, તેઓ નાચતાં જ રહ્યા અને પ્રભુ ત્યાંથી વિહાર કરી ગયા. - શૂન્ય ઘરોમાં, જંગલોમાં, ગ્રામાનુગામ વિચરતા પ્રભુને એક હજાર વર્ષ દીક્ષા પર્યાયમાં પસાર થયા હતા. ચાર જ્ઞાન સહિત એવા પ્રભુએ પુરિમતાલ નગરની બહાર શકટમુખ ઉદ્યાનમાં વટવૃક્ષની નીચે જળ રહિત અઠમ તપના યોગમાં શુકલ ધ્યાને આરૂઢ થયા હતા, ત્યારે મહા વદ અગિયારશને દિવસે ચાર ઘાતિ કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન પામ્યા તે સમયે ઈન્દ્રનું આસન કંપાયમાન થયું. ઇન્દ્ર અવધિજ્ઞાનમાં જોયું કે ધરતી પર પ્રભુને લોકાલોક પ્રકાશક જ્ઞાન પ્રાપ્ત થયું છે અને તેઓ અન્ય દેવો સહિત ધરતી પર આવ્યા. ઇન્દ્રાદિ દેવોએ શીઘ્રતાથી સમવસરણની રચના કરી. પ્રભુએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી.
પ્રથમ ચોર્યાશી ગણ અને ચોર્યાશી ગણધરોની સ્થાપના કરી. તેમની સાથે નીકળેલા રાજા મહારાજાઓ દીક્ષિત થયા, પૌત્રો - પૌત્રીઓએ પણ પ્રવજ્યા ગ્રહણ કરી. પ્રથમ સાધ્વી તરીકે બ્રાહ્મીએ પણ પ્રભુના શાસનનો સ્વીકાર કર્યો. ત્યાં સુંદરી પણ ઊભી થઈ. અંજલિ જોડી આજ્ઞા માંગે ત્યાં તો ભરતરાજાને લાગ્યું કે ચક્રવર્તીપદની પાછળનું સ્વપ્ન એ તો આ પ્રેરણાદાયી સૌદર્યવાન સુંદરી છે. પોતાનું સ્વપ્ન રોળાઈ ન જાય તે માટે તેઓએ ઊભા થઈને તેને અટકાવી. સુંદરીને આ વાત રૂચિ નહિ પણ ભરતરાજાની આજ્ઞાનું પાલન અનિવાર્ય બન્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org