SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ શ્રી નાલંદા તીર્થ જળમંદિર : અહી કમળોથી છવાયેલા સરોવરની વચ્ચે સુંદર જળમંદિર છે. ૬૦૦ ફુટ લાંબા બાંધેલા આરસના કઠેડાવાળા પુલ ઉપર થઈને જળમંદિર જવાય છે. સરોવરની જમીન ૮૪ વીઘા જેટલી છે. અંતિમ સંસ્કાર સ્થળ ઉપર ભગવાનના મોટાભાઈ નંદીવર્ધને જળમંદિર બનાવી પ્રભુનાં ચરણ સ્થાપિત કર્યા. જે પાવાપુરી જળમંદિર તરીકે પ્રચલિત છે. ભગવાનની પાદુકા પર છત્ર છે, જે આસો વદ અમાસના દિવસે ભગવાનના નિર્વાણ સમયે ફરકે છે. ભગવાનની પાદુકા પર યાત્રિકો પૂજા કરી કમળો ચઢાવે છે. ' આસો વદ અમાસ-ભગવાનના નિર્વાણના દિવસે અત્રે અનેક સંઘો તથા યાત્રિકો યાત્રા કરવા પધારે છે. અમાસની યાત્રાનો મોટો મહિમા છે. જળમંદિરની સામે બે પ્રાચીન મંદિરો તથા પ્રાચીન સમવસરણ છે. દિગંબર મંદિર તથા ધર્મશાળા છે. શ્રી મહાવીર સ્વામી ભગવાન મૂળ નામ : વર્ધમાનકુમાર પિતાનું નામ : રાજા સિદ્ધાર્થ માતાનું નામ : ત્રિશલા રાણી પત્નીનું નામ : યશોદા પુત્રીનું નામ : પ્રિયદર્શના ભાઈનું નામ : નંદિવર્ધન બહેનનું નામ : સુદર્શના રી , પાવાપુરીથી બિહારશરીફ ૧૪ કિલોમીટર દૂર અને બિહારશરીફથી નાલંદા ૧૨ કિલોમીટર દૂર છે. રાજગૃહી વિરાટ નગરી હતી, તેનો વિરાર નાલંદા સુધી હતો. નાલંદા રાજગૃહીનું ઉપનગર હતું. ભગવાન મહાવીરે નાલંદા પાડામાં ૧૪ ચાતુર્માસ કર્યા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy