SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૨૯૩ અહી નાલંદા વિશ્વવિધાલયના પ્રાચીન અવશેષો છે, કહેવાય છે કે અહીં દસ હજાર વિદ્યાર્થીઓ ભણતા હતા, અને રહેતા હતા. ૧૫૦૦ અધ્યાપકો ભણાવવા રહેતા હતા. પ્રસિદ્ધ ચીની મુસાફર હ્યુ-એન-સંગે અહી બાર વર્ષ રહી અભ્યાસ કર્યો હતો. બાજુમાં મ્યુઝિયમ છે, જે જોવાલાયક છે. છે) શ્રી કુંડલપુર- તીર્થ S તે S ) ર ર ર ર . ગૌતમ સ્વામી જન્મભૂમિ : : : : : : : : કુંડલપુરનું પ્રાચીન નામ ગોબરગ્રામ હતું. નાલંદાની પાસે આવેલ છે. પાવાપુરથી ૨૯ કિલોમીટર દૂર છે. ભગવાન મહાવીરના ત્રણ ગણધરો ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિનો જન્મ અહી થયો હતો. ભગવાન મહાવીરને ગોશાલકનો મેળાપ અહી થયો હતો. ૧૭ મી સદીમાં અહી ૧૭ મંદિરો હતા. લબ્ધિના દાતાર પ્રભુ વીરના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીના જન્મથી અને ભગવાન મહાવીરના અનેક વારના પગલાંથી આ ભૂમિ પાવન બની છે. અત્રે એક દેરાસર છે, જેમાં મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાન, શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી પાર્શ્વનાથ ભગવાનની -૨ એવી ખૂબ પ્રાચીન મૂર્તિઓ છે તથા ગુરૂ ગૌતમસ્વામીનાં ૨૫ સે.મી.ના શ્યામ ચરણ પાદુકાઓ છે, તથા શ્રી નંદીશ્વરદ્વીપ છે. ગણધર ભગવત ગુરૂ ગૌતમસ્વામી મૂળનામ : ઇન્દ્રભૂતિ ગૌતમ જન્મસ્થળ : ગોબરગ્રામ (કુંડલપુર) : પૃથ્વી માતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy