________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
૨૯૧
પ્રભુએ પ્રથમ તથા અંતિમ દેશના જે સ્થળે આપી હતી તે પવિત્રભૂમિ ઉપર, પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરિશ્વરજી મ. સા. ના ઉપદેશથી ભવ્ય સમવસરણ બન્યું. સંવત ૨૦૧૩, માહ સુદ ૬ના રોજ પ્રતિષ્ઠા થઈ. શ્રી મહાવીરસ્વામી ભગવાનની ૩૫ ઈંચની ચાર પ્રતિમાઓ છે. (ચૌમુખજી) અહીં એક પ્રાચીન કૂવો છે, જેના ઉપર સ્તુપ બનાવ્યો છે,
આ કૂવાનું પાણી ઘી જેવું ચીકણું હતું, કે જેનાથી દીવા થઈ શકતા હતા. સમવસરણ મંદિર સામે નવા મોટા દેરાસરમાં મૂળનાયક શ્રી મહાવીરસ્વામી ભગવાન, શ્રી ગૌતમસ્વામી તથા શ્રી સુધર્માસ્વામીની ૬૧ ઈંચની પ્રતિમાઓ છે. દેરાસરની બાજુમાં વિશાલ ધર્મશાળાઓ છે. જરિયાવાળા શેઠ શ્રી દેવશીભાઈ માણેકચંદ વોરાએ આ તીર્થના નિર્માણમાં સારો પરિશ્રમ લીધો છે.
નિર્વાણ કલ્યાણક : શ્રી મહાવીરસ્વામી ભગવાન, ગૌતમસ્વામીનો પોતાના પરનો રાગ દૂર કરવા ગૌતમસ્વામી ને નિર્વાણ પહેલાં દેવશર્મા નામના બ્રાહ્મણને પ્રતિબોધ કરવા મોકલે છે. પોતાનો અંતિમ સમય જાણી ૧૬ પ્રહર (૪૮) કલાક અખંડ દેશના આપી આસો વદ-અમાસની રાત્રિના અંતિમ પ્રહરે સ્વાતિ નક્ષત્રમાં હસ્તિપાલ રાજાની કચેરીમાં ૭૨માં વર્ષે નિર્વાણપદ પામ્યા. ભગવાનની અંતિમવાણીથી કેટલાયે ભાવુકો પવિત્ર બની મુકિતમાર્ગના અધિકારી થયા. ખરેખર એ ઘડી, એ પળ ધન્ય મનાતી હશે.
વિ. સંવત પૂર્વે ૪૭૦ વર્ષ, આસો વદ ૦)) ૧૫મી ઓકટોબર, મંગળવાર ઈ.સ. પૂર્વે ૫૨૭ વર્ષ. ઝળહળતી ભાવ જ્યોત બુઝાઈ ગઈ. એ . દિવસે મલ્લકી તથા લચ્છવી વંશના રાજાઓ, સેંકડો હજા૨ો માનવીઓ એકઠા થયા અને નિર્વાણનો ઉત્સવ ઉજવવા તેમણે દ્રવ્યનો ઉદ્ઘોત પ્રગટાવ્યો. ત્યારથી દિવાળીનું પર્વ અસ્તિત્વમાં આવ્યું.
પાવાપુરીનું નામ પહેલાં અપાપાપુરી હતું. પણ ત્યાં ભગવાનનું નિર્વાણ થતાં તેનું નામ પાવાપુરી થયું.
નિર્વાણસ્થળે દેરાસર છે. તેમાં મૂળનાયક શ્રી મહાવીરસ્વામી ભગવાનની પ્રાચીન પ્રતિમાજી છે, બાજુમાં પ્રાચીન ચરણપાદુકાઓ છે. ગભારામાં વચ્ચે નિર્વાણસ્થળે શ્યામ ચરણપાદુકાઓ છે. બાજુમાં વિશાલ ધર્મશાળાઓ તથા ભોજનશાળાની સગવડ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org